Raksha Bandhan Ni Vrat Katha || Story behind Raksha Bandhan || રક્ષાબંધન ની કથા ||


Posted in jambuda | Leave a comment

ચાર ધામ યાત્રા-1 (યમુનોત્રી )


ઘણા સમય થી ઈચ્છા હતી કે ચાર ધામ ની યાત્રા  વિષે  લખું . પણ સમય અને કોમ્પ્યુટર ના અભાવે લખી ના સક્યો જે હવે શક્ય બનતા લખી રહ્યો છું  .

ચાર  ધામ યાત્રાના દર્શન કરવાથી બધા પાપોનો નાશ થાય છે. હરદ્વારથી સીધા બદ્રીનાથ જઈએ તો ૩૦૦ કિમી અને ઋષિકેશ, દેવપ્રાયગ દ્વારા યમનોત્રી, ગંગોત્રી અને ઊત્તરકાશી તથા કેદારેશ્વર, ત્રિપુગી અગ્રી તીર્થ થઈને ફરી પાછા વળતા નારાયણ કોટી, ગુપ્તકાશી, ઉષામઠ, રૂદ્રનાથ આવે છે. બદ્રીનાથ પહોંચતા કુલ ૬૪૦ કિ.મી.ની મુસાફરી કરવી પડે છે.
શાસ્ત્રોકત આધાર મુજબની આ ચાર ધામ યાત્રા હરદ્વારથી પ્રારંભ થાય છે, એટલે તેને હરદ્વાર-સ્વર્ગદ્વાર-ગંગાદ્વાર કહે છે. આ ક્ષેત્રના બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી, ગંગોત્રી, સ્થાનો પવિત્ર માનવામાં આવે છે.
ઉત્તરાખંડ રાજયમાં ચારધામની આ યાત્રા મે માસથી શરૂ થઈને નવેમ્બર સુધી ચાલે છે, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથના મંદિર એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં અથવા તો મેના પ્રથમ અઠવાડિયામાં ખૂલે છે.

ચાર ધામ  યાત્રા હરિદ્વાર થી શરુ થાય છે .અને હરિદ્વાર થી ચાર ધામ યાત્રા કરતા લગભગ 1500 કિલોમીટર ની મુસાફરી કરવી પડે છે .અને લગભગ આઠ કે નવ દિવસ થાય છે .

ચાર ધામ યાત્રા ધાર્મિક મહત્વ મુજબ પહેલે યમુનોત્રી પછી ગંગોત્રી અને કેદારનાથ પછી બદીનાથ એમ કરવામાં આવે છે .બધાજ ધામ 3000 મીટર થી વધારે ઉંચાઈ ધરાવતા હોવા થી ગરમ કપડા સાથે  રાખવા જરૂરી છે.

તૈયારીઓ તડામાર ચાલતી હતી, જાત જાતની પૂરી, ચકરી, ગોળપાપડી, સક્કરપારા, ચેવડો અને થેપલા એવું બીજું ઘણું બધું. દિવાળીના દિવસો હોય તો  સ્વાભાવિક છે, ઘરે ઘરે આ જ દ્રશ્ય હોય, એમાં નવાઈ શાની? પણ અહીં હકીકત થોડી જુદી હતી. આ તૈયારી ચાલતી હતી તે દિવાળીની નહીં પણ ચારધામ યાત્રા  જવા માટેની હતી એટલે સવાલ થવો સ્વાભાવિક હતો કે ચારધામ યાત્રા  ફરવા માટે જવાનું છે કે ખાવા માટે! પણ ભાઇ આપણે તો કોઈ પણ પ્રવાસની તૈયારી આ રીતેજ થાય, પછી એ ફોરેન જવાનું હોય કે ચારધામ યાત્રા …પહેલી પ્રાથમિકતા તો ખાવાપીવાની સગવડને આપવાની નહીં તો આપણું ગુજરાતીપણું લજવાય!

ફેબ્રુઆરી મહીનામાં એક કૌટુંબિક પ્રસંગે ભેગા થયા ત્યાં વાતમાંથી વાત નીકળીને આમ ચારધામ યાત્રા  જવાનું બીજ રોપાયું ત્યારે અમે બધા થઈને વીસ લોકો તૈયાર થયા ત્યારે થયું કે જમાવટ થવાની. પણ ધીમે ધીમે જેમ નક્કી કરેલો સમય માર્ચ માં બુકિંગ નો સમય નજીક  આવતો ગયો એમ વાજબી કારણો ને લઈને વિકેટો પડતી ગઈ ને પીચ ઉપર છેક સુધી અણનમ રહ્યાં અમે દસ લોકો,  હું  (કૃષ્ણકાંત દવે) ને શ્રીમતી વંદના મારી બે પુત્રી કિન્નરી અને માનસી , મારા સસરા સુરેશભાઈ જોષી,મારા સાસુ રંજનબેન જોષી  ,કાકાજી સસરા મહેશભાઈ જોષી ,કોકીલાબેન જોષી, અને તેમના વેવાઈ જગદીશભાઈ પંડયા અને અરુણાબેન પંડયા …આમ દસ જણા

1 (29)પછી મગજમારી ચાલુ થઈ ટુરનો રૂટ અને પ્રવાસનાં સ્થળો નક્કી કરવાની, બાકી ના બધા વડીલો કહે કે તું જે નક્કી કરે તે જ રૂટ ,અમે તો પહેલી વખત એ બાજુ જઈએ છીએ. એટલે એક માત્ર ઇન્ટરનેટ અને ગૂગલ દેવ ( હા, બિલકૂલ મઝાકનો મૂડ નથી, આ કળજૂગમાં કોઈ હાજરા-હજૂર દેવ હોય કે જેની પાસે તમામ સવાલના ઉકેલ છે તો એ એક માત્ર ગૂગલ દેવ છે!)

માર્ચ મહિના માં ટીકીટ બુક કરાવી લેવી પડે કારણ કે હવે 90 દિવસ પહેલા રેલ્વે નું બુકિંગ થાય છે,

ક્યા સ્થળને કેટલા દિવસ ફાળવવા? ત્યાં શું શું જોવા લાયક છે? ઉતરવા માટે કઈ હોટલ સારી? અગાઉથી બુકીંગ કરાવવું પડશે કે પછી પડશે એવા દેવાશે? આ બધું ઉતરાણના દિવસે અગાસીમાં હાથમાંથી ફીરકી છટક્યા પછી  ગુંચવાયેલા દોરા જેવું હતું, ક્યાંય છેડો દેખાતો નહોતો. એમાં ભળી રેલ ટીકીટ બુકીંગની લમણાઝીક. સ્ટેશને જવાનું, લાંબી લાઇનની વૈતરણી પાર કરને બારી આવે ત્યાં ’અવેલેબલ’ માંથી ’વેઈટીંગ’ થઈ ગયું હોય! ( ઓનલાઇન બુકીંગ? IRCTC મોટા ભાગે સવારના દસ વાગ્યા સુધી ઘેનમાં હોય છે એવો અત્યાર સુધીનો અનુભવ છે!) ને એમાંયે તારીખો અને મેમ્બરો ફરવાને લીધે કેન્સલ,રીબુકીંગ, કેન્સલ ચાલ્યું. છેવટે ફાયનલ દસ ની જે ટીકીટ હાથમાં હતી એ હતી વેઇટીંગ. પણ ત્રણ મહિનાનો સમય હતો એટલે ચિંતા નહોતી

એટલે પ્રવાસ ના દિવસો અને મુસાફરી ના દિવસો નો ટાઇમ એ મુજબ 22 દિવસ નો પ્લાનિંગ કર્યો, અને ટીકીટ નું બુકિંગ કરાવ્યું જતા વેઈટિંગ હતી , છતાં બુકિંગ કરાવી નાખી,

અખાત્રીજ થી ચારધામ નો રૂટ ખુલે છે અને અમો વૈશાખ સુદ બીજ  ના રાત્રે જવા નીકળીએ એ રીતે બુકિંગ કર્યું,

રૂટ આ મુજબ નકી કર્યો , મોરબી થી હરિદ્વાર મુસાફરી 2 દિવસ ,હરિદ્વાર 2 દિવસ ચારધામ 8 દિવસ ,દિલ્હી  2 દિવસ ,ગોકુલ-મથુરા 3 દિવસ આગ્રા -ફતેપુર સિક્રી  2 દિવસ  આ પ્લાનિંગ હતો  બાકી તો ત્યાં જઈએ પછી શું  ફેરફાર થાય .તે મુજબ ફરવું .

 

તૈયારી તો  તડામાર ચાલુ જ હતી  ….દિવસો પણ જલ્દી નજીક આવતા હતા .  અમે લોકો એ ઘણા પ્રવાસ માં ગયા છીએ, મારી દીકરીઓ પણ તેની મમ્મી ને તૈયારી માં મદદ કરતી હતી, મમ્મી … જો ગયા વખતે સાઉથ માં ગયા અને થેલો વજન થી ફાટી ગયો ત્યારે સોઈ દોરો ના હતા . આ વખતે યાદ કરી ને લેજે ..આમ થેલા ઓ ભરતા ગયા . આ તો જોશે  ત્યાં ક્યાં થી લાવીશું ..આતો હિમાલય નો પ્રવાસ હતો એક થેલો સ્વેટર નો થયો .  સરવાળે બે સુટકેશ ને બે થેલા આમ ચાર દાગીના થયા .

મને તો ઘણી વાર એવું થાય કે આપણી સૌરાશ્ટ્ર જનતા કે મેઇલ જો લુટાય ને તો ૫-૭ હજાર થેપલા ડાકુને મળે!”

અને એ દિવસ આવી ગયો ટીકીટ આરએશી હતી . જોઈશું કંઇક એડજસ્ટ  કરીશું ..કહી ને નીકળી પડ્યા

રાત્રે દસ વાગે સાજન -માજન સાથે વરઘોડો નીકળે તેમ ..થેલા , સુટકેશ ફળિયા માં રાખી બે રીક્ષા બોલાવી ને બધા ગોઠવાઈ ગયા . ક્રિષ્ના ટ્રાવેલ્સ ની વોલ્વો ની ટીકીટ એડવાન્સ માં લઇ લીધેલ . રાત્રે 11 વાગ્યા ની  બસ હતી . સવારે સદા ચાર વાગ્યે અમદાવાદ પહોચાડે ..ત્યાતી અમારી કાલુપર રેલ્વે સ્ટેશન થી ટ્રેન સવારે દસ ને વિશ વાગ્યે ઉપડવાની હતી .અમદાવાદ હરિદ્વાર એક્સપ્રેસ .

આખી રાત્રી ના લગભગ જાગતા સવારે અમદાવાદ પહોંચી .રેલ્વે સ્ટેસન માં બ્રશ કરી પ્લેટફોર્મ પર પહોચી ગયા …નાસ્તા ચા પાણી નો દોર શરુ થયો .

ટ્રેન આવી ……. ગોઠવાયા .  હવે શરુ  થઇ સીટ ની રામાયણ . કારણ કે આર એ સી ટીકીટ હતી .પણ જેમ તેમ એડજસ્ટ કરી બીજે દિવશે

બપોર ના 12:45 ના હરિદ્વાર સ્ટેસન પર ઉતર્યા.

હરિદ્વાર ને  હરી નું દ્વાર માનવા માં આવે છે .હરિદ્વાર ઉત્તરાખંડ નું મોટું શહેર છે .અને ઉત્તરાકાહ્ન્દ ને દેવભૂમિ માનવા માં આવે છે .આ દેવ ભૂમિ માં જવા નો રસ્તો અહી થી સારું થાય છે .એટલે તેને હરિદ્વાર કહેવા માં આવે છે .

જેના શિખરો સર્વે થી ઉંચા છે. અને જેની ઘરતી પર હજારો વર્ષોથી હજારો ઋષી મુનીઓએ તપ કરી આ ભુમીને પાવન કરેલ છે. જયા ભગવાન શિવ તથા મા પાર્વતી ની તપોભુમી છે. જે ભુમીને શબ્દોથી વર્ણવી ન શકાય પરંતુ અનુભુતી કરી શકાય એવી આ પાવન ભુમી યોગાધીરાજ હીમાલયની તળેટી અને જે હીમાલયના મસ્કત થી વહી અનેક ઝરણા ઓ પોતાના માં સમાવી પવિત્ર ગંગા સ્વરૂપે આ ઘરતી ઊપર વહે છે. એવી ભુમી હીરદ્વારમા પગ મુકતાજ અનેરો આનંદનો અનુભવ થાય છે.

મોટી રીક્ષા કરી ને સીધાજ શાંતિકુંજ માં જઈ રૂમ રાખ્યો .

 ફ્રેસ થઇ ને સાંજે જ ગંગા સ્નાન માટે હરકીપેઢી જવા રવાના થયા .   

1 (6)1 (7)

1 (18)

1 (19)

1 (14)

                                                                                                              ગાયત્રી તીર્થ શાંતિકુંજ, હરિદ્વાર  

1 (22)

1 (24)

ગાયત્રી તીર્થ શાંતિકુંજ, હરિદ્વારએ ઋષિ-પરં૫રાના બીજારો૫ણ કેન્દ્રના રૂ૫માં ઈ.સ. ૧૯૭૧ માં સ્થાપિત કરવામાં આવ્યું હતું, જયારે ૫રમપૂજ્ય ગુરુદેવ મથુરા સ્થાયી રૂ૫થી છોડીને ૫રમ વંદનીયા માતાજીને અખંડ દી૫કની રખેવાળી માટે અહીંયા છોડીને હિમાલયમાં ચાલ્યા ગયા. ગુરુસત્તાના નિર્દેશ ૫ર તે ફરી એક વરસ ૫છી પાછા આવ્યા, ત્યારે શાંતિકુંજને તેમણે એક મોટા વિરાટ રૂ૫ આ૫વા, બધાં ઋષિગણોની મૂળભૂત સ્થા૫નાઓને અહીં સાકાર બનાવવાનો નિશ્ચય કર્યો. એનાથી ૫હેલાં ૫રમવંદનીયા માતાજીએ ર૪ કુમારી કન્યાઓની સાથે અખંડ દી૫કની સમક્ષ ર૪૦ કરોડ ગાયત્રી મંત્રનું અખુડ અનુષ્ઠાન શરૂ કરી દીધું હતું. પૂજ્યવરે પ્રાણ પ્રત્યાવર્તન સત્ર, જીવન સાધના સત્ર, વાનપ્રસ્થ સત્ર વગેરેના માઘ્યમથી વિભિન્ન ક્ષેત્રમાં સક્રિય કાર્ય કરવાવાળા કાર્યકર્તા અહીં ઘડયા. આ સત્રશ્રૃંખલા કલ્પ સાધના, સંજીવની સાધના સત્રોના રૂ૫માં ત્યારથી જ ૯ દિવસીય સત્રો તથા એક માસના યુગશિલ્પી પ્રશિક્ષણ સત્રોના રૂ૫માં ચાલી રહી છે. અત્યારે ૫ણ નિરંતર તેમાં આવવાવાળાનો દોર (ક્રમ) ચાલું રહે છે. ૫હેલેથી જ બધાં પોતાનું બુકિંગ એમાં કરાવી લે છે.

શાંતિકુંજને ગાયત્રી તીર્થનું રૂ૫ આપી સપ્ત ઋષિઓની મુતિઓની સ્થા૫ના ઈ.સ. ૧૯૭૮-૭૯ માં કરવામાં આવી. એક દેવાત્મા હિમાલય વિનિર્મિત કરવામાં આવ્યા. અહીં બધા સંસ્કારોને સં૫ન્ન કરતા રહેવાનો ક્રમ બની ગયો, જે સતત ચાલી રહયો છે. નિત્ય અહીં દીક્ષા, પુંસવન, નામકરણ, વિદ્યારંભ, યજ્ઞો૫વીત, વિવાહ, શ્રાદ્ધ-ત૫ર્ણ વગેરે સંસ્કાર સં૫ન્ન થાય છે. આની વચચે ૫રમવંદનીયા માતાજીએ જાગરણ સત્ર શ્રૃંખલાઓ સં૫ન્ન કરવામાં આરંભ રાખ્યો. દેવકન્યાઓને પ્રશિક્ષિત કરી આખા ભારતમાં જી૫ ટોળીઓમાં મોકલવામાં આવી. એના માઘ્યમથી ત્રણ વરસ સુધી ભારતના ખૂણે ખૂણામાં ભીષણ નાદ થતો રહયો.

શાંતિકુંજનું ગાયત્રી નગર, જે આજે એક વિરાટ સ્થા૫નાના રૂ૫માં, એક એકેડમી રૂ૫માં દેખાય છે તથા જેમાં એકીસાથે દસ હજાર વ્યકિત રોકાઈ શકે છે, ઈ.સ. ૧૯૮૧-૮ર માં બનવાનું શરૂ થયું. વિલક્ષણ, દુર્લભ જડી બુટૃીઓના છોડ અહીં રો૫વામાં આવ્યા તથા પ્રખર પ્રજ્ઞા-સજળ શ્રઘ્ધારૂપી તીર્થસ્થળીનું પૂજ્યવરે પોતાની સામે નિર્માણ કરાવ્યું. અહીં તેમના નિર્દેશાનુસાર તેમના શરીર છોડત બન્નેય સત્તાઓને અગ્નિ સમર્પિત કરવાની હતી. સ્વાવલંબન વિદ્યાલયથી લઈને એક વિશાળ ઓટલાનું નિર્માણ અને ગાયત્રી વિદ્યાપીઠથી લઈને ભારતના બધા સરકારી વિભાગોના પ્રશિક્ષણના તંત્રની સ્થા૫ના અહીં કરવામાં આવી છે અને આ એક જીવતું જાગતું તીર્થ હવે બની ગયું છે, જયાં ઉજજવળ ભવિષ્યની પૂર્વ ઝાંખી જોઈ શકાય છે. કોમ્પ્યુટરોથી સજજ વિશાળ કાર્યાલયથી લઈને ૫ત્રાચાર વિદ્યાલય, જયાં દરરોજ હજાર૫ત્રોથી આખા તંત્રનું માર્ગદર્શન કરવામાં આવે છે. અહીંથી ખાસિયત છે.

તન મન ને પાવન  કરનારી માતા  ગંગા માં  સ્નાન કરી ને રાત્રી ની આરતી નો લાભ લઇ મંદિર માં દરસન કરી પરત શાંતિ કુંજ ગયા ..

અંદર કેન્ટીન માં જ શુદ્ધ ભોજન કરી ને શાંતિકુંજ ના  ચોગાન માં બેસી વાતો કરતા સમય વિતાવ્યો .

બીજે દિવસે સવારે લગભગ ત્રણ વાગ્યે શાંતિ કુંજ માં ગાયત્રી મંત્રોચાર સાથે યજ્ઞ ની શરૂઆત થઇ …યજમાનો ની ચહલ પહલ સારું થઇ ગઈ …અમો પણ વહેલા ઉઠી ગયા . પવિત્ર  વાતાવરણ ..થી મન પવિત્ર થઇ ગયું …..

8 વાગ્યે  હરિદ્વાર દર્શન અને ઋષિકેશ-કનખલ  જવા માટે રીક્ષા કરી ને  ઋષિકેશ જવા રવાના થયા રસ્તા માં આવતા મંદિરો ના દર્શન કરતા કરતા  ઋષિકેશ તરફ રવાના થયા …..

 રામઝુલા-લક્ષ્મણ ઝૂલા પુલ પર થી પસાર થઇ ત્યાં આવેલા મંદિર ના દર્શન  કર્યા …

1 (32)

1 (38)

 ત્યાંથી  હરિદ્વાર  તરફ  રવાના થયા જ્યાં

*  ગોરખનાથ મંદિર

*  દક્ષ મહાદેવ મંદિર (કનખલ )

*ઇન્ડિયા ટેમ્પલ

*  મનસાદેવી મંદિર

*  ભારતમાતા મંદિર

*  સપ્તઋસી આશ્રમ

* ચંડીદેવી મન્દિર (કનખલ )

*  સતી કુણ્ડ

* વૈષ્ણોંદેવી મન્દિર

વગેરે મંદિર માં દર્શન કરી પરત શાંતિકુંજ માં આવ્યા ..જમ્યા પછી પહેલું કામ એ કર્યું કે ચારધામ યાત્રા માં નીકળવા માટે બુકિંગ કરાવ્યું ..એક વ્યક્તિ દીઠ ભાડું  રૂપિયા 2700 થતા રૂપિયા 27000 જમા કરાવ્યા …સવારે 8 વાગ્યે બસ શાંતિકુંજ ની સામે થી જ મળશે ,,, અને ટ્રાવેલર્સ ની જરૂરી સુચના લીધી ….દરેક વ્યક્તિ ની નામ નોંધણી કરાવી ….સવારે રૂમ ખાલી કરી ને શાંતિ કુંજ થી નીકળ્યા વધારા નો સમાન ટ્રાવેલર્સ ની ઓફીસ માં જ રાખી જરૂર પુરતો સમાન સાથે રાખ્યો .

હવે થઇ શરૂઆત મુખ્ય યાત્રા ની સવારે આઠ વાગ્યાના ટ્રાવેલર્સ ની ઓફીસ માં બેસી ને બસ ની રાહ જોતા હતા બસ આવી દસ વાગ્યે બસ આવી …બસ માં 15 શીટ હોય અમો હતા દસ …બાકી ના બિહાર ના પટના પાંચ યાત્રાળુ હતા ..જેમાં નવલકિશોર ભાઈ તેમના પત્ની અને બીજા તેમના સબંધી ત્રણ  ઉમર ની મહિલાઓ હતી . તે લોકો અમારી પહેલા સીટ પર કબ્જો જમાવી ને બેસી ગયા હતા ..

અમારા કાફલા માં સીટ અને બેસવા બાબત ચર્ચા થવા લાગી , મેં બધા ને સમજાવ્યા કે એ લોકો આગળ ની સીટ માં ભલે બેસે  , આપણે પાછળ બેસી જસુ ,આમેય આગળ બેસીસું તો ઊંધું બેસવાથી એક તો રસ્તા માં બરાબર જોઈ નહિ શકીએ , અને ચક્કર કે ઉલટી થશે , આમ અમે પાછળ  ની સીટ માં બેસી ગયા . જો કે પછી આગળ બેઠેલા એ લોકો ની હાલત ખુબજ ખરાબ થઇ જતા બધા ને સત્ય સમજાઈ ગયું . કારણ કે એ લોકો ઉલટી કરી કરી ને લોટપોટ  થઇ ગયા ..

હવે બસ આવતા ઉપર સમાન બાંધ્યો . અમારી બસ ના ડ્રાઈવર મૂળ રાજસ્થાન ના વતની હતા અને તેમનું નામ હતું જગદીશભાઈ .
યાત્રા ની શરૂઆત કરતા પહેલા ડ્રાઈવરે (જગદીશભાઈ) અમને હરિદ્વાર ના પેંડા ની પ્રશાદી  આપી …ભાવ વિભોર કરી દીધા .
ગંગા મૈયા ,યમુના મહારાણી ,કેદારનાથ ભગવાન ,અને બદ્રીનારાયણ  ભગવાન નું સ્મરણ કરતા કરતા યાત્રા ની શરૂઆત કરી .
પણ આ ઉમંગ વધારે વાર ના ટક્યો ….કારણ કે હરિદ્વાર થી લગભગ થોડા આગળ લગભગ 45 કિમી .  આગળ જતા ડ્રાઈવર  એ ગાડી સાઈડ એક નાના કસ્બા પાસે પાર્ક કરી નીચે ઉતરી ને ડીઝલ ટેંક ચેક કરવા લાગ્યો .  ત્યારે ખબર પડી ડીઝલ લીક થાય છે . એક તો સવાર ના મોડા નીકળ્યા હતા … અને આ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા હાલ થયા અને આગળ ના જોખમી પ્રવાસ  પર્વતીય રસ્તા  વગેરે વિષે સાંભળ્યું હતું . તેથી દિલ માં એક ડર પેસી ગયો કે આ ગાડું આગળ ચાલશે  ?
1 (48)
IMG_0151
1 (49)
ડ્રાઈવર ડીઝલ ટેંક અલગ કરી ગેરેઝ વાળા ને ગોતી તેનું કામ કરવા માં લાગી ગયો . ક્લીનર તો સાથે હતો નહિ . ગેરેઝ વાળા સાથે ડ્રાઈવર જતો રહ્યો .લગભગ ત્રણ કલાક સુધી દેખાયો નહિ . અજાણી જગ્યા માં જવું તો ક્યાં બસ પર સમાન ખડકેલો હતો સાથે અજાણ્યા મુસાફર હતા . બસ ની બહાર આજુબાજુ માં બેસી સમય પસાર કરતા હતા . ભૂખ પણ કડકડતી લાગી હતી હવે તો નાસ્તો પણ કરી કરી ને સંતોષ થતો ના હતો .ડ્રાઈવર જમી ને ટેંક રીપેર કરી ને આવ્યો .. હવે આગળ વાંધો તો નહિ આવે ને ? બસ યાત્રા માં બરાબર ચાલશે કે કેમ  ? રસ્તા માં  ક્યાય અંતર્યાળ ઉભા રાખી દેશે તો ? આવી શંકા  કુશંકા સાથે ફરી પ્રયાણ કર્યું ?

 દહેરાદુન શહેર જોતા જોતા આગળ ગયા …..મસુરી નો કેમ્પટી ફોલ ધોધ રસ્તા માં આવ્યો જો કે ત્યાં સ્ટોપ કરવા ની ના જ પડી હતી પણ ધોધ ની સામે ની બાજુ થોડી વાર માટે બસ ઉભી રાખી ડ્રાઈવરે  અમને એ ધોધ થોડી વાર માટે જોવા

દીધો …camptifall
IMG_0155


chardham-route

 

map-of-chardham-yatra

હરિદ્વારથી મસુરીનો પ્રવાસ પહાડો પરનો હતો ૮૦૦૦ ફીટ ઉંચાઈ પણ સેઇફ હતો, રસ્તા સલામતી વાળા હતાં. એમ તો મહારાષ્ટ્રના ખંડાલા કે મહાલેશ્વરના ઘાટો કે ગોવા જતા રત્નાગીરીના ઘાટો પર છે, પણ એ બધા ઘાટો વધુમાં વધુ ૪૦૦૦ ફીટ ઉંચાઇ વાળા અને પહાડો પાક્કા પથ્થરોના, રસ્તા સલામતી ભર્યા,જ્યારે મસુરીથી આગળનો જે પહાડી રસ્તો શરુ થાય છે તે ખતરાથી ભરપુર, સિન્ગલ રોડ અને કાચા પહાડો. દિલધડક સફર અહીંથી શરુ થાય છે. ટોટલ 1450 કી.મી નો પ્રવાસ છેક ઋષીકેશ પાછા આવો ત્યાં સુધી. ૮૦૦૦ કે ૯૦૦૦ ફીટથી એકેય પહાડ નીચો નહીં. સામેથી બસ કે કોઇ વાહન આવે એટલે કોઇ પણ એક વાહનને પહોળી જગ્યા મળે ત્યાં ઉભું રહી જવાનું. જે વાહન પહેલું જઇ શકે તે પહેલું નીકળે.બે બે ઇંચની જગ્યા માંડ બે વાહન વચ્ચે રહેતી, નીચે સાત થી આઠ હજાર ફીટની ખીણ અને વહેતી નદી નજરે ચડે,જીવ અધ્ધર થઇ જતો, ક્યારેક તો વાહનને રીવર્સ લેવું પડે એ પણ ખીણના વળાંકે. કાચા પહાડોની મોટી મોટી લટકી રહેલી પથ્થરની શીલાઓ, જાણે હમણા જીવતી થઇને ભેટવા આવશે. ક્યારેક તો વિકરાળ કાળ મોઢું ફાડીને ઉભો હોય તેવું લાગે. અમારો જીવ અધ્ધર તાલ જ રહેતો, ડ્રાઇવર તરફ જોયા કરીએ, મટકું મારતાય બીક લાગે. અમે અમારા ડ્રાઈવર ને કહ્યું કે સફરમાં જીવ તાળવે ચોટેલો જ રહે છે, ત્યારે તેમને હસતા હસતા કહ્યું ” મારી તો પચ્ચીસ વર્ષનિ જિંદગી આ જ લાઇનમાં ગઈ છે,
ભગવાન ભગવાન કરો, જે થવાનું લખ્યું હશે તે કોણ ટાળી શકે ?”
ગમ્મે તેમ કહો થોડીક બીક તો ઓછી થઇ.અહીંયા કુદરત તો ભરપુર ખીલી છે. સાત આઠ હજાર ફીટ ઉંચા પહાડો અને આખા રસ્તે નીચે કોઇને કોઇ વહેતી નદી જોવા મળે જ, ક્યારેક ગંગા તો ક્યારેક યમુના, અલકનંદા તો ક્યારેક મંદાકીની તો ક્યારેક ભાગીરથી.
 અમારી સાથે યાત્રા કરી રહેલા બિહાર ના યાત્રાળુ કે જે બસ ની વિરુધ દિશામાં બેઠેલા તેમની દશા બહુજ ખરાબ થતી જતી હતી …એક પછી એક વિકેટો પડતી જતી હતી ….શરુ શરુ માં એક બીજા ને મદદ કરતા હતા હવે કોઈ કોઈ ની મદદ કરી સકે તેવી એ લોકો ની પોઝીસન ના હતી …લોટપોટ થઇ ને સુઈ ગયા . અમારી બધા ની તબિયત સારી હતી .
ઊંચા ઊંચા પર્વતો ….વનરાઈ …..આભ ને આંબતા વૃક્ષો ….હરીયાલી   નિહાળતા નિહાળતા યમુનોત્રી તરફ આગળ વધતા હતા ….સાંજ થવા આવી હતી
બારકોટ પહેલા એક પેટ્રોલપંપ માં ડીઝલ પુરાવ્યું …ત્યારે રોતેલા હોટલ ના બોર્ડ રસ્તા માં જોયા . મારી બંને પુત્રી હસતી હતી પપ્પા ……..હોટલ રોતેલા ! એવું કેવું નામ  ?
આ માર્ગે જતી બસ કલાકના ૨૫ થી ૩૦ કિ.મી ચાલે છે. રાત્રીના વાહન વ્યવહાર બંધ થઈ જાય છે.
હવે અંધારું થવા આવ્યું હતું ….સર્પાકાર રસ્તા પર દોડતા વાહનો ની લાઈટો જોતા જોતા આગળ વધતા હતા ….આગળ હરિદ્વાર પછી નો અમારો  પહેલો પડાવ હવે આગળ હતો ….એક  હોટલ આવી ત્યાં ઉભી રાખી …..હોટલ રોતેલા  !!!!    ડ્રાઈવર કહે કે આપ રૂમ રેન્ટ પૂછો યોગ્ય લાગે તો ભલે નહિ તો આગળ બીજી હોટલ 15 20 km . પર છે …લગભગ 10 કલાક થી સતત મુશાફરી થી થાકી ગયા હતા ….એટલે જે ભાડું હોય તે અમને મંજુર હતું ….રૂમ ભાડું 2000 રૂપિયા હતું …થોડું બાર્ગેનિંગ કરાવતા 1750 માં નક્કી કર્યું .   હવે નાસ્તા થી કંટાળી ગયા હતા .. હોટલ માં એક રૂમ મળ્યો …સાથે ના યાત્રાળુ પણ ઉપરના ભાગે રૂમ રાખી લીધો હતો ..જમવા માં શું મળશે તેની તપાસ સારું કરી  તો હોટલ માં થી જવાબ હતો આપ કહો તે બનાવી આપશું …..ગુજરાતી નો સ્વભાવ છે કે પેરીસ માં પણ જમણ માં પાત્રા ગોતે તેમ ..ખીચડી બટાકા નું શાક  અને રોટલી   આમ સાદું ભોજન ખાવા ની બધા ની ઈચ્છા હતી …. પહેલા કુક ને સમજાવવું પડ્યું કે માગ ચોખા ની ખીચડી કેમ બનાવવી તે શુચન આપી ફ્રેસ્સ થયા …લગભગ 10 વાગ્યે જમવાનું તૈયાર થયું .જમી ને બહાર ખુલ્લા માં થોડી વાર ફર્યા ….હોટલ ની આજુ બાજુ માં વસ્તી જેવું કઈ હતું નહિ …..આ દરમ્યાન ડ્રાઈવર સાથે વાત કરતા તેમને જનાવ્યોઉં કે એક્સ્ટ્રા સાઈટ સીન જો કરવું હોઈ તો વ્યક્તિ દીઠ વધારાના 200 રૂપિયા આપવા …જેમાં ત્રીયુગીનારાયણ ,ચોપ્તા (ભારત નું સ્વીઝરલેન્ડ),પન્ચકેદાર ,માનાગાંવ   (ભારત તિબેટ સરહદ નું છેલ્લું ગામ )   અમે તો તૈયાર હતાજ ….સાથે વાળા યાત્રાળુ ને વાત કરતા તે પણ ત્યાર થઇ ગયા …..ડ્રાઈવરે જણાવ્યું સવારે 5 વાગ્યે નીકળવું  છે ..જેથી રૂમ માં જઈ સુઈ ગયા.
  યમુનોત્રી પહોંચવા  લગભગ 4 કલાક નો રસ્તો હતો ….3:30 બધા ઉઠી ગયા ….હા હોટલ ની આજુ બાજુ  કોઈ વસ્તી ના હતી તેમ લગભગ અને આટલી ઉંચાઈ પર લાઈટ હોવી સંભવ નથી તે સ્વાભાવિક છે …જનરેટર સતત ચાલુ હતું ….મોબાઈલ માં ચાર્જીંગ ના પણ સાંસા હતા …જો કે ટાવર પણ મળતા નથી ….હા કોઈ વસ્તી આવે ત્યારે ક્યારેક ક્યારેજ મોબાઇલ થી વાત થતી હતી .  ઉઠી ત્યાર થઇ બસ માં ગોઠવાઈ ગયા પણ સાથે ના યાત્રાળુ નો પતો ના હતો ….માં મુશ્કેલી થી તેમનો રૂમ ગોતી જગાડ્યા ને …મુસાફરી સારું કરી 5:15 વાગ્યે .

ઉંચાઈ લગભગ 10,000 ફૂટ પર હોવાથી  ઠંડી નું પ્રમાણ ઘણું વધી ગયું હતું …. યમુનોત્રી લગભગ 11000 ફૂટ ની ઉંચાઈ પર આવેલ છે ……અજવાળું થવા લાગ્યું હતું ….એક જગ્યા એ બસ ઉભી રાખી ….ડ્રાઈવર નીચે ઉતર્યા …. આગળ ટ્રાફિક જામ હતો … ક્યારે ખુલશે કહી સકાય નહિ ….

અત્યાર સુધી નો ટોટલ રસ્તો સિંગલ પટ્ટી જતો અને સખત ચઢાણ અને ઢાળ વાળો હતો … બસ ચાલતી હોય ત્યારે સખત અવાજ કરતી ચાલતી …સામે થી વાહન આવે એટલે બ્રેક લગાવી સાઈડ માં લઇ સામે થી આવતા વાહન ને જવા દેવું પડતું ,,, ચારધામ યાત્રા માં નાના વાહન ને જ એન્ટ્રી આપે છે ….બસ માં વધારે માં વધારે 22 સીટ ની જ બસ એલાઉડ છે …. કારણ કે રસ્તા એકદમ સાંકડા હોય છે …..ક્યાંક ક્યાંક રોડ પણ હોતા નથી …..ઉખાડ ખાબડ રસ્તા અને સર્પાકાર રસ્તા માં બસ ચાલે એટલે ચાલુ બસે સર્પાકાર ચાલતી બસ માં  ….બંને હાથ થી આગળ ની સીટ સખ્ત પકડી ને બેસવું પડે …
         ટ્રાફિક ધીમે આગળ ખસતો હતો ….ડ્રાઈવરો બધા સમજદારી થી ડ્રાઇવિંગ કરતા હતા ..અમે લોકો નીચે ઉતરી ચા પીધી ડ્રાઈવર ટ્રાફિક માં બસ આગળ લેતો જતો હતો આ નીચે ના ફોટા તે સ્થળ ના છે .
IMG_0163
IMG_0167IMG_0168IMG_0176IMG_0172IMG_0173

સવાર નો સમય હતો ….નાના છોકરાઓ સ્કુલે જતા હતા …રોડ થી નીચે ની તરફ સ્કુલ હતી …ફોટા માં દેખાય છે તે મુજબ ..સવાર ના નવ થવા આવ્યા હતા …લગભગ  સાડા નવ વાગ્યે અમો ટ્રાફિક માં થી નીકળ્યા …. બસ આગળ જતા ઉપર ની તરફ બર્ફ થી ઢકાયેલા પર્વતો નજરે પડવા લાગ્યાં ..એ જોઈ ને બધા જોઈ રહ્યા હતા ….ઉગતા સૂર્ય ના પ્રકાશ માં ચાંદી જેવા ચમકતા પહાડો …..હોય તેના કરતા ઉજાસ માં વધારો કરતા હતા …

બસ હવે યમુનાજી ને કાંઠે કાંઠે ચાલતી યમુનોત્રી તરફ આગળ વધી રહી હતી …ક્યાંક પર્વત પર થી ધોધ સ્વરૂપે કયાંક સપાટ મેદાન માં વહેતી યમુનામહારાણી  નું દર્શન કરતા કરતા આગળ વધતા હતા . IMG_0183IMG_0183 IMG_0188IMG_0191IMG_0193

દસ વાગ્યે હનુમાન ચટ્ટી પહોંચી ગયા …ડ્રાઈવરે  બસ ને સાઈડ  માં પાર્ક કરી ….યમુનાજી ની તળેટી માં અમો પહોચી ગયા હતા …અમો નીચે ઉતર્યા  ત્યાં ઘોડાવાળા અમને ઘેરી લીધા …સાબજી  મેરા ઘોડા લે લીજીએ ….. લગભગ ત્રણસો થી ચારસો ઘોડાવાળા હતા ….બસ એકજ અવાજ માં એકજ વાત કરતા હતા …સાબજી  મેરા ઘોડા લે લીજીએ ………

     હું થોડી વાર તો ક્ન્ફૂઝ થઇ ગયો ….પછી બધા ને કહ્યું અમારે ઘોડા જોઈતા જ નથી ….ચાલી ને જવું છે ….એટલે થોડા ઘોડાવાળા દુર જતા રહ્યા …( મને આમારી આગળ અમારા સબંધી જે ચારધામ ગયા હતા તેના અમુક સૂચનો યાદ હતા ) પછી મેં બે ત્રણ ઘોડા વાળા પાસે તેમના ઓળખકાર્ડ માંગ્યા ..અમે મેં રાખી લીધા .
મારી સાથે ના બુજર્ગો બધા હેવી વજન વાળા હતા તેમના માટે મજબુત ઘોડા પસંદ  કર્યા …ઘોડા નો ભાવ તો લગભગ ફિક્સ જ હતો 800 રૂપિયા વ્યક્તિ દીઠ …

 હવે ધ્યાન માં રાખવા જેવી  બાબતો છે …….ઘોડા વાળા ને એડવાન્સ કઈ દેવું નહિ ….ફક્ત જકાત ના સો રૂપિયા વ્યક્તિ દીઠ ટેક્સ ના આપી તે ચલન પરત લઇ દરેક વ્યક્તિ ને સાથે આપવું …જે જકાત નાકા પર ચેક કરે છે …જે પરત આવી ને ઘોડા વાળા ને આપવાનું રહે છે …પણ જે વ્યક્તિ ઘોડા પર રહે તેને જ તે રાખવું .  બીજું ઘોડા પર બેસતા ઘોડા વાળા તુરંતજ  તેના સવાર ને લઇ ને ચાલવા માંડે છે …જેથી છુટા પડી જવા નો ભય વધારે છે ટ્રાફિક એટલો બધો હોય છે ફરી ભેગા થવું સંભવ નથી …અને યાત્રા દરમ્યાન આપ આપના સાથી યાત્રાળુ ને ગોતતા ફરસો …ત્રીજું …ઘોડા સપાટ રસ્તા પર નહિ પગથીયા ચડી ને ઉપર લઇ જવા ના છે રસ્તો લગભગ સાત થી આઠ  ફૂટ નો સાંકડો છે અને પ્રવાસી ,ઘોડાવાળા ,ડોલીવાળા ,ચાલવાવાળા ,નો ઘસારો વધારે છે .એટલે ખુબજ સાવચેતી જરૂરી છે એટલે બધા સાથે રહે તે જરૂરી જ છે . ઘોડા ઉપર બેસવું અલગ બાબત છે અને બેસી ને પગથીયા ખુબજ જોખમી છે . 

ઘોડા વાળા ને જોર જોરથી સુચન આપવા છતાં સવાર ને લઇ ને ચાલી નીકળ્યા ટૂંક માં મારું સાંભળ્યું જ નહિ . મારી બંને પુત્રી અને મારી વાઈફ ખુદ ઘોડા પર બેસવા થી ડરતી હતી .બેસવું ફરજીયાત હતુજ કારણકે  આઠ કિમી . ચાલી ને પહોંચવું શક્ય ન હતું  .. અને બધા છુટા પડી ગયા હતા …જો કે અમારું ફેમીલી સાથે હતું ….પણ મારી જવાબદારી બીજા પ્રત્યે એટલીજ હતી કારણ કે બધા મોટી ઉમર ના હતા ….કઈ પણ ઘટના ઘટી સકે !
ઘોડા આગળ વધતા હતા ….એપાર્ટમેન્ટ  માં ઘોડા ને ઉપર ચડાવવા જે વું અઘરું હતું ….એવું  હતું એક ઘોડાવાળો (માલિક) ઘોડા સાથે હતો પણ ઉપર કેમ બેસવું એ સુચન પણ આપતો હતો પણ બેલેન્સ  રાખવું અઘરું હતું …મારી નાની દીકરી માનસી ને આગળ ની સાઈડ માં રાખી, મોટી દીકરી ને પાછળ ની સીડ માં મારો ઘોડો વચ્ચે ચાલતો હતો …શ્રીમતીજી  તેમના પપ્પા (મારા સસરા ) સાથે હતા …એક વાત કે એક ઘોડાવાળા પાસે થી જો તમે ત્રણ ઘોડા લો તો તે ત્રણ સાથે જ ચાલે આમ મારો અને મારી બંને પુત્રી ના ઘોડાવાળો એક જ હતો …જેથી સાથે ચાલતા હતા …
1 (51)પણ નસીબે યારી આપી ટેક્ષ ની ટીકીટો બધીજ મારી પાસે હતી ….જકાત નાકું આવતા આગળ જતા ઘોડા વાળા મારી પાસે રહેલી ટીકીટ માટે ઉભા હતા ….મારા માટે એ પુરતું હતું ….એમને જોઈ ને હું ઘોડા  ઉતરી ગયો …દસેય  ઘોડા વાળા ને ભેગા કરી … આગળ નીકળી ગયેલ ઘોડાવાળા  ને ખખડાવી નાખ્યા …અને હવે જે ઘોડા વાળો છુટ્ટો પડશે તેને હું એક પણ રૂપિયો નહિ આપું ……. આવું સ્પષ્ટ સુણાવી દીધું  .. આથી ઘોડાવાળા પર ધારી અસર પડી …અને હવે આગળ પાછળ ચાલવા માંડ્યા ..1 (52)1 (53)1 (54)1 (56)
                                                                રેલીંગ પાછળ ની સાઈડ માં ખાઈ નઝરે પડે છે .
1 (58)
ઘોડાવાળા હવે બિલકુલ અમારી સાથે ભળી અને વાતો કરવા માંડ્યા હતા .મારી બને પુત્રીઓ ઘોડાવાળા ની વાતો સાંભળી ને આનંદ માં આવી ગઈ હવે તેની બીક પણ થોડી ઓછી થઇ ગઈ હતી  ,,,,,યે  વૃક્ષ યે  કામ આતા હે ……યહાં કા  મૌસમ  કિસ તરહ રૂપ બદલતા હે  …અમારા બે ત્રણ ઘોડા વાળા તો ગ્રેજ્યુએટ થયેલા હતા ….ફટ ફટ ઘોડા ને દોડાવતા વાતો કરતા હતા,  મારી પુત્રી એ કહ્યું કે તો તમે કોઈ નોકરી કેમ કરતા નથી ત્યારે જવાબ આપ્યો કે :ગુડિયા યહા ભગવાન કો ખોજેંગે તો શાયદ મિલ જાએગા …પર નોકરી નહિ મિલતી   ….હવે ઘોડા વાળા ની વાતો સાંભળી તેમના પ્રત્યે સહાનુભુતિ થઇ આવી હતી ..વર્ષ ના આ ચાર મહિના જ તેમને કામ મળતું  બાકી ના સમય માં તેઓ ખેતી વાડી કરતા હતા .ઘોડા ની સંખ્યા લગભગ ચાર થી પાંચ હાજર હતી ….દરેક ઘોડા(જો કે ઘોડી જ હતી) નું અલગ અલગ નામ હતું …. ચલ છમ્મો , ચલ ચંપા …એવા  આવતા હતા .. બરફ ના પહાડ નજીક આવતા જતા હતા …..અમે અમારી અડધી મંજિલ કાપી હતી ..

એક બાજુ ખાઈ ..પર્વત ના ફરતે પર્વત કોતરી ને પગથીયા બનાવ્યા હતા ….ક્યાંક ક્યાંક પગથીયા પણ તૂટેલા હતા …ઘોડા ની અવરજવર થી ચારે બાજુ ઘોડા ની લાદ અને પેશાબ  થી પગથીયા પર ક્યારેક ઘોડા લસરતા હતા ….સામે થી ડોલીવાળા ,પીઠુંવાળા,ઘોડાવાળા  આવતા હતા …આ બધા ની સામે ચડવા વાળા …

 કાકાસાહેબ કાલેલકરના પુસ્તક ’હિમાલયનો પ્રવાસ’માંથી એક અદ્‌ભૂત પ્રસંગ યાદ આવે છે, જો એનો મર્મ સમજાય તો આપણે આપણી માથે જે કંઇ જાત જાતની માન્યતાઓનાં પોટલાં ઊંચકીને આજીવન ચાલતા રહીએ છીએ એમાંના ઘણાં ઊતરી જાય!
            વાત કૈંક આમ છે; કાકા સાહેબ, સ્વામિ આનંદ અને અનંતબુવા આ ત્રણ હિમાલયના પ્રવાસે પગપાળા નીકળેલા, એક પછી એક પહાડોના ચઢાણ પછી એક દિવસ એક ગામમાં રાતવાસો કરવા રોકાયા. રાત્રે ગામલોકોની સાથે અલકમલક્ની વાતો ચાલતી હતી એમાં ગામના એક વૃધ્ધાની જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં કાકા સાહેબે પોતાના વતન વિશે માહિતી આપી કે “અમારા પ્રદેશમાં આવા અને આટલા બધા પહાડો ના હોય પણ સપાટ મેદાનો હોય…” આ સાંભળી પેલાં વૃધ્ધાએ થોડાક આશ્ચર્ય અને થોડી સહાનુભૂતીથી કહ્યું,” અરર..સાવ સપાટ મેદાનો હોય? તો તો તમને ચાલવામાં કેટલી બધી તકલીફ પડતી હશે નહીં?”
8 ફૂટ જેટલો રસ્તો   સામસામાં લગભગ ઘસી ને ચાલતા હતા …જેમાં પેગડા માં ભરાવેલા તમારા પગ ને સમાન ને સંભાળવાનો ….ઉપર પણ ધ્યાન રાખવાનું  કારણ કે પર્વત કોતરી ને રસ્તા બનાવેલો ધ્યાન ના રાખો તો …..ફાટ …..નાળીયેર(માથું ) વધેરાઈ જાય   ………….    એ   સંભાલના  મેડમજી
1 (65)
હવે પગ માં ભરાવેલા પેગળા થી પગ માં છાલા પાડવા માંડ્યા ….અક્કડ બેસી ને શરીર થાકી ગયું હતું ….. રસ્તા માં ઘોડા માટે પાણી ની વ્યવસ્થા હતી જ્યાં પાણી માટે ઉભા રહેતા હતા …હા અમુક જગ્યા ઓ  એવી હતી જ્યાં ઘોડા ને ઉભા રાખી પેશાબ-પાણી કરાવતા હતા …જેથી રસ્તો ખરાબ ના થાય ..લગભગ અડધો રસ્તો પૂરો થવા આવ્યો હતો ….ઘોડાવાળા એ એક જગ્યાએ ઢાબા ઓ આવતા ઘોડા ને ઉભા રાખ્યા ,,,,અમને ચા પાણી પીવા કહ્યું ….ઘોડા ને ગોળ ખવડાવવા થોડા રૂપિયા ટીમને આપી અમે ચા પાણી પીધા . રસ્તા ના કેટલાક ફોટા ….
    IMG_0203IMG_0219IMG_0226IMG_0212IMG_0229IMG_0236
ગ્લેસીઅર (ઉપર થી બરફ જામી ગયો છે અને નીચે થી પાણી પસાર થતું હોય છે ) નો ફોટો છે .
IMG_0258
રસ્તા માં જુદા જુદા ફૂલઝાડ ..અને પર્વતો ,ઝરણા ,ગ્લેશિઅર  જોતા જોતા યમુનોત્રી લગભગ 12:20 વાગ્યે  અમો યમુનોત્રી પહોંચી ગયા …
યમુનોત્રી 11000 ફૂટ પર આવેલું છે ……

આ એક અદ્ભૂત આધ્યાત્મિક અનુભૂતિ આપતું નૈસર્ગિક સૌંદર્ય છે.

યમુનોત્રી તીર્થ ધાર્મિક મહત્વની સાથે મનમોહક પ્રાકૃતિક સૌંદર્યને કારણે પણ તીર્થયાત્રિઓ અને પર્યકોને મોહિત કરે છે. અહીં જોવા મળતા બરફથી ઢંકાયેલા ઊંચા પર્વતો, શિખરો, દેવદાર અને ચીડના લીલા જંગલો, ક્યારેક કાળા તો ક્યારેક સફેદ દેખાતા વાદળો, વાદળોની વચ્ચે ચમકતા સૂર્યનો તેજ, પહાડોની વચ્ચે વહેતી હવાઓની ધ્વનિ અને વનસ્પતિઓ તેમજ પક્ષીઓના કલરવની સાથે વહેતી યમુના નદીની શીતળ ધારા મનને મોહિત કરી દે છે. આ એક અદ્ભૂત આધ્યાત્મિક અનુભૂતિ આપતું નૈસર્ગિક સૌંદર્ય છે. અહીં આવેલા ગ્લેશિયર અને ગરમ પાણીના કુંડ આકર્ષણનું કેન્દ્ર છે.

યમુના નદીના ઉદ્ગમ સ્થાનમાં સપ્તર્ષિ કુંડ અને સપ્ત સરોવર છે, જ્યાં કેટલાક પ્રાકૃતિક સ્થળો અને ગ્લેશિયરોમાં પાણી ભરાયેલું રહે છે. યમુનોત્રીનું સહુથી મોટું આકર્ષણ ગરમ પાણીના કુંડ છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓ આ ગરમ પાણીના કુંડોમાં સ્નાન કરે છે. જેનાથી યાત્રાનો સંપૂર્ણ થાક દૂર થાય છે.

અહીં આવેલા સૂર્ય કુંડનું જળ એટલું વધારે ગરમ હોય છે કે તેમાં ચોખા ભરેલી પોટલી નાંખવામાં આવે અને થોડી વારમાં બહાર કાઢવામાં આવે તો તે ભાત બનીને બહાર આવે છે. ગરમ પાણીનું તાપમાન લગભગ 10 ડીગ્રીની આસપાસ હોય છે. અહીંના પાણીમાં ઉકાળેલા ચોખા યાત્રાળુઓ પોતાની સાથે પ્રસાદના રુપમાં લઇ જાય છે.

કાલિંદ પર્વતથી લઇને જાનકીચટ્ટી સુધી યમુના પર બરફનું આવરણ હોય છે. જાણે કે આખુ વાતાવરણ ઊંઘતું હોય તેવું લાગે. પણ યમુના નદી તો બરફની નીચે પણ સતત વહેતી રહે છે.

1 (74)

1 (75)1 (81)1 (80)1 (84)એક બાજુ ગરમ ધગ ધગતું પાણી જે ઠંડુ પાડી ને કુંડ માં આવે છે …જયારે યમુનોત્રી ના પ્રવાહ માં હાથ નાખો તો બરફ જેવું પાણી …..

                                      કુદરત નો સાક્ષાત્કાર નથી તો શું  છે ?  અહી દર્શાવેલ ફોટા માં સ્નાન કરવા ના કુંડ અને ચોખા જે જગ્યાએ બાફે છે તે કુંડ ની તસ્વીર છે ….અને યમુનોત્રી ના શીતલ પ્રવાહ ની છે ..
                                              યમુનોત્રીનું હાલનું મંદિર વર્ષ 1923માં જયપુરના મહારાણી ગુલેરિયા દ્વારા નિર્માણ પામ્યું હોવાનું જાણવા મળે છે. આ મંદિર પહેલા ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયું હતું, પણ તેનું પુર્નનિર્માણ કરવામાં આવ્યું. મંદિર નજીક જ ગરમ પાણીના કુંડ આવેલા છે. મંદિરમાં યમુનાની પૂજા કરવામાં આવે છે. યમુનાજીની પ્રતિમા કાળા સંગેમરમરમાંથી બનેલી છે. મંદિરમાં ગંગાની મૂર્તિની પણ પૂજા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગંગા અને યમુના નદીને કલ્યાણકારી અને પવિત્ર દર્શાવવામાં આવીIMG_0265IMG_02731 (75)1 (83)

સૂર્ય કુંડ- યમુનોત્રીમાં સ્થિત ગરમ પાણીના કુંડમાં સૂર્ય કુંડ મુખ્ય છે. અહીં પ્રકૃતિનું અનુપમ રુપ જોવા મળે છે. એક તરફ શીતળ અને ઠંડી યમુના નદી અને બીજી તરફ ગરમ જળના કુંડ. આ કુંડનું તાપમાન એટલું હોય છે કે જો મખમલના કપડામાં બટાકા કે ચોખા બાંધીને તેમાં નાંખવામાં આવે તો તે રંધાઇ જાય છે. અહીં આવતા તીર્થયાત્રીઓ તેને પ્રસાદના રુપમાં ગ્રહણ કરે છે.

IMG_0273

1 (82)

યમુના મૈયા નું પાન કરી પાવન થઇ …પરત જવા પ્રયાણ કર્યું ..હા મારી દીકરી કિન્નરી ને રસ્તા માં ઘોડા પર બેસવાથી થોડા દિવસ પહેલા થયેલ પથરી નો દુખાવો શરુ થયો, દવા તથા ઇન્જેક્સન સાથે હતા , મારા કાકાજી મહેશ ભાઈ જોષી ડોક્ટર છે  જે  સાથે હતા યોગ્ય ઈલાજ કરી ..નીચે ની તરફ જવા રવાના થયા .(ચમત્કાર :મારી દીકરી કિન્નરી ના આ પથરી નો દુખાવો આ પ્રવાસ દરમ્યાન  જે શુદ્ધ અને નિર્મળ જળ જે પહાડો માંથી નીકળે છે, તે પીવાથી આ પ્રવાસ દરમ્યાન જ મટી ગયો। આ છે  અહી ની જડીબુટ્ટી માં થી વહેતા પાણી નો પ્રતાપ હવે તે બિલકુલ સ્વસ્થ છે . )

આ પ્રવાસ દરમ્મ્યાન  અમે ઘણી એવી જગ્યા એ થી પાણી ભર્યું જે પહાડો પર થી આવતું હતું બહુ થોડા પ્રમાણ માં …….પર્વતો પરથી ટપકતા આ પાણી ના ઝરણા ને પાઈપ લગાડેલા હતા ….જે બોટલ માં ભરતા બિસ્લેરી કરતા પણ ચમકતું પાણી બોટલ માં દેખાતું . રસ્તા માં બહુજ ઓછા પ્રમાણ માં ધાબા અને હોટલો હોવા થી આ પાણી જ પીવું પડતું .

                                    લગભગ બે વાગ્યે આમો યમુનોત્રી થી નીચે ઉતારવા રાવણ થયા ..રસ્તા માં આવેલા ઢાબા માં ગરમ રસોઈ બનતી જોઈ .નાસ્તો બસ માં જ હતો તેથી જમવાની ઈચ્છા થઇ આવી ભૂખ પણ કડકડતી લાગી હતી . પણ જમવા માં ખાસ કઈ ભાવે એવું હતું નહિ એટલે ગરમ ભજીયા મંગાવ્યા પણ સ્વાદ કૈક જુદો જ હતો  . પણ મારી બંને દીકરી ને મઝા પડી ગઈ કારણ કે ત્યાં મેગી ગરમ કરેલી મળતી હતી . મેગી ના પેકેટ આપી બે મેગી બનાવડાવી .

                સૌ સૌ ના ઘોડા વાળા ને ગોતી ફરી સવાર થઇ અમે નીચે ઉતારવા નું શરુ કર્યું .  હવે ઘોડા પગથીયા ઉતરતા હોવા થી .પાછળ ની સાઈડ નમી ને બેસવું પડતું હતું . આગળ પેગડા માં ભરાવેલા પગ પર વજન આપવું પડતું હતું .  ઘોડા પગથીયા ઉતરતી વખતે આગળ ની સાઈડ માં નમતા હોવા થી બેલેન્સ રાખવું અઘરું હતું .ક્યારેક ઘોડા ના  પગ પગથીયા પર  મુક્તિ વખતે  આગળ લસરતા હતા .ત્યારે હૃદય ધબકારા મારવાનું ચુકી જતું હતું ..એક બાજુ ખાઈ હતી અને ઉતરતી વખત નો રસ્તો ખાઈ બાજુ થી જ ઉતારવા નો હતો . 

એક વાર ઘોડો પાણી પીતા પીતા ભડકયો ..માંડ બેલેન્સ રાખ્યું …ઘોડા વાળા ને પૂછ્યું  :યે કયું એસી  હરકત કર રહા  હૈ ?  તો તેને કહ્યું  સાહેબ પર્વત પર થી જરા કાંકરી પણ જો પડે ને એ આ જાનવર જાણી  જાય છે …તેથી એ થોડો દુર જતો રહ્યો .    હવે ઉતરતી વખતે ઝડપ માં પણ વધારો થયો હતો . રસ્તા માં એક ઘોડો સવાર સાથે ખીણ માં ખાબક્યો હતો .  આમારી સાથે ના યાત્રાળુ નો ઘોડો બે વખત વખત બેસી ગયો હતો .. જો કે કોઈ પણ જાત ની ઇજા ના થઇ .એટલી યમુના માતા ની મહેરબાની . … આટલી તકલીફ વચ્ચે પણ મારી સાથે ના વડીલો ની હિંમત હજુ અડગ હતી . જયારે વધારે ઢાળ વાળા પગથીયા આવતા ત્યારે અમને ઘોડા પરથી ઉતરી અને થોડા પગથીયા ચાલી ને ઉતરવું   પડતું હતું .

આખરે અમો નીચે ઉતરી ગયા ..જો કે ઉતરતી વખતે બધા અલગ અલગ થઇ ગયા હતા .પણ બધા સહી સલામત નીચે ઉતરી ગયા . ઘોડા વાળા ને 700 રૂપિયા પ્રતિ સવારી આપ્યા .આમ  ટોટલ 800 રૂપિયા થયા .. વધારા માં બક્ષિશ માંગતા એમને એમની મહેનત પ્રમાણે યોગ્ય બક્ષીસ આપી રાજી કર્યા .

નીચે ઉતરી બસ શોધી .અમારો સંઘ આવી ગયો હતો પણ સાથે ના બિહાર ના યાત્રાળુ કોઈ દેખાતા ન હતા . અને રસ્તા માં પણ કોઈ જગ્યા એ દેખાયા ના હતા . અમે લગભગ 4 વાગ્યે ઉતારી ગયા હતા . થોડી વાર રાહ જોઈ મોબાઈલ નંબર લગાવ્યો .કવરેજ ના હતું .. એ લોકો લગભગ 5.30 એ બસ માં આવ્યા .હવે ફરી અમારી બસ બર્કોટ  તરફ રવાના થઇ ….

Posted in જાંબુડા, દિકરી, jambuda | Tagged , , , , , | 5 Comments

દીકરી વ્હાલનો દરિયો-2


Image

“ભુણહત્યા કરતાં સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મીની જરૂર નહિ હોય?”

હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રેવેશ કર્યો ‘સાંભળ્યું ?’

અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.“આપણી સોનલ નું માંગું આવ્યું છે. ખાધેપીધે સુખી ઘર છે. છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.”

સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતાં પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન,ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી .હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ અને કાયમ કહેતા, ‘બેટા આ પૈસા તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’

બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું ‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ,એમણે કરિયાવરમાં કઈ જ લેવાની ના કહી છે ,ના રોકડ,ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી.તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું, તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.”

‘ભલે પપ્પા’ સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી. સમય ને જતાં ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી,સર્વેના હરખનો પાર નથી.ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી.ફેરા ફરવાની ઘડી આવી . કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયેથી બે શબ્દો નીકળ્યા, ‘ઉભા રહો ગોરબાપા, મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’

“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયાનો ચેક તમને હું પાછો આપું છું, એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે, જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે. જો હું તમારો દીકરો હોત તો આટલું તો હું કરત જ ને !!!”

હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી “પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?” હરીશભાઈ ભારે આવાજમાં હા બેટા, એટલું જ બોલી શક્યા. “ તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાડૉ , તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજથી છોડી દેશો. બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું.”દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે.લગ્નમાં દીકરીની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાંઓને તો રડતાં જોયાં હશે પણ આજે તોજાનૈયાઓની આંખો પણ ભીંજાઈ ગઈ.

દુરથી હું સોનલના આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો .૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ. સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું !!પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો
ભુણહત્યા કરતાં સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મીની જરૂર નહિ હોય?”.Image

— લેખક-અજ્ઞાત

Posted in જાંબુડા, દિકરી, jambuda | Tagged , , | 3 Comments

ધર્મ અને વીજ્ઞાન


સંપાદન: કૃષ્ણકાંત દવે …..

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં
– વાહ ક્યા ખુબ કહી આ કાવ્યમાં !

Posted in દિકરી, jambuda | 1 Comment

પત્ની ને ખુશ રાખવાના 101 ઉપાયો…..!!!


પત્ની ને ખુશ રાખવાના ઉપાયો પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ
રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.

1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો

2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો

4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)

5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ
નહીં?)

6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો

7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો

8. એની મમ્મીની રસોઇના વખાણ કરો

9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે”

10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે

11. “તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો

12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.

13. તમારી વાત ટુંકમાં કરો.

14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.

15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો

16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.

17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો..

18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!

19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો
રોજ આવે છે”

20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!

21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”

22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”

23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)

24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.

26. અઠવાડિયે એક વાર તો સમય અને સંજોગો જોઇ ને પૂછી લો કે “કેમ આજે ઢીલી લાગે છે?”

27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ/સાલસા નાખો, ફરિયાદ ન કરો.

28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ને ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે?

29. કામવાળો રજા ઉપર હોય તો ઘરમાં એક જ વાર ચા પીવો.

30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો. અથવા તો પાન-મસાલા છોડી દો.

31. બેલ વાગે તો દરવાજો ખોલવા તમે જાવ, એમાં કાંઇ વારા થોડા પડાય બોસ!

32. ઓફિસનુ કામ ઘરે ન લાવો.

33. શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.

34. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.

35. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો !

36. નવા ડ્રેસમાં એ જાડી લાગે તો એમ કહેજો કે ” આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે”

37. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટ છે તેવુ જાહેર કરો

38. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં સાગરમાં ડિમ્પલ
કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.

39. લગ્નદિવસે સાચા સોનાના ઘરેણા લાવી આપો.

40. તમે ખરીદેલી વસ્તુની સાચી કિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો. તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો “તમે છેતરાયા” એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમે “કાયમ હલકી વસ્તુ લાવો છો” એ વાત પર મામલો બીચકશે.

41. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો.

42. શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.

43. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો “કેટલો ક્યુટ અને નૉટી છે!”

44. તમારા સાસરે કૂતરો રાખ્યોહોય તો એ તો તમને ચાટશે જ, મોં નહી બગાડવાનુ, અને એને એની હાજરીમાં
ભગાડવાનો કે હટ નહીં કહેવાનું.

45. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો.

46. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના
જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.

47. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી,
માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો.

48. “સાસરૂ સોનાની ખાણ”ની ડીવીડી વસાવી લો

49. ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો.

50. મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા
દેશમાં આવી નથી!

51. ચાલવાથી કોઇ પણ અને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકી શકે છે. એનો કકળાટ હીલ-સ્ટેશન પર ના કરાય !

52. ઘરનાં ખાવામાં બદલાવ જોવા ઇચ્છતા હોવ તો અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસો બોસ !

53. દાળ અને શાકનો કલર જોઇ એના ટેસ્ટ વિષે ચુકાદો ન આપી દો, આજે જે બન્યુ છે તે ન બન્યુ નથી થવાનું!

54. તૈયાર થવામાં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોંચશો તો લગ્ન અટકી પડવાના નથી. અરે, આજકાલ તો રીસેપ્શનમાં વર-કન્યાજ મોડા પહોંચે છે.

55. છાપું વાંચતા વાંચતા કૂકરની સીટી ગણવાનું શીખી જાવ.

56. ગેસ બંધ કરતા પણ શીખી જાવ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદ ઉતરે તેવુ તે માનતી હોય તો માનવા દો.

57. ડસ્ટબીન નજીક જઇ કચરો નાખવા માટે છે, દુરથી નિશાનબાજીની પ્રેક્ટીસ કરવા માટે નથી. સમજ્યા ? તમારા ખોટા નિશાનના લીધે કચરાપેટીની અંદર કરતા બહાર વધારે કચરો દેખાય તો ગમે તેને ગુસ્સો આવે.

58. કોબીના શાકમાં ખાંડ ન નખાય એવો કોઇ કાયદો નથી. ખોટા કાયદા નહી બતાવવાના.

59. શિયાળામાં દહીં ન જામે. તમને વધારે સારુ જમાવતા આવડતુ હોય તો તમે જમાવોને બૉસ! એકાદ દહાડો ખીચડીમાં દહીં ન મળે તો ઝાડાન થઇ જાય.

60. “ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે ?” આવા વાહિયાત સવાલો ન કરો.

61. ઉનાળામાં બે જ શાકભાજી મળે છે. બટાકાઅને રીંગણ. અને આ બંને તમને નથી ભાવતા તે તમારી સમસ્યા છે.

62. ઘરની પાણીપુરી એ બજારની પાણીપુરી જેવી ના પણ બને, એ માટે ભૈયાના પરસેવા વાળા હાથ ઘરે લાવવા પડે !

63. એ હસી હસીને ફોન પર વાત કરે છે ? તો ફોન પીયરિયાનો હશે,બીજી કોઈ શંકા અસ્થાને છે.

64. સ્ત્રીઓને ઇલેકટ્રોનિક ગેજેટસ વાપરતા નથી આવડતું, એ વાત અમેરિકન રીસર્ચથી સાબિત થયેલ છે, માટે એ વિષે તમારે અલગ વ્યાખ્યાન આપવાની જરૂર નથી.

65. એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ન કરશો. ડ્રાઇવિંગ સ્કુલવાળાઓને પૈસા આપો અને એ વસુલ થતા જુઓ.

66. એને કાર ચલાવતા નથી આવડતુ તો શું થયુ? રસ્તામાંતમે કોઇની સાથે ભટકાઇ ના પડો તે માટે તમને સુચના આપે તો એમાં એણે શું ખોટું છે ?

67. ટુથપેસ્ટ પુરી થવા આવે ત્યારે પેસ્ટ કાઢી આપવી એ પતિનો ધર્મ છે. આવા ક્ષુલ્લક કામો એ આટલા વર્ષોમાં કેમ ન શીખી તેવા તુચ્છ વિચારો ન કરવા.

68. એના પર્સમાંથી તમારે જે જોઇએ છે તે માંગો, એમ ખાંખાંખોળા કરી કામ ના વધારો.

69. માંગ્યા વિના તો મા પણ ના પીરસે.આ તો પત્ની છે.

70. ઓફિસેથી ઘેર પાછા આવતા અવશ્ય ફોન કરો, ડાર્લિંગ કાઈ લાવવાનું છે?

71. પીરસતા વાર થાય તો રાહ જુવો,તકિયો ના માંગો.

72. ઘરમાં વોશિંગ મશીન તમારા સ્ટેટસ માટે લીધું છે, કપડા તો રામો જ સારા ધુવે. માટે ‘વોશિંગ મશીનનો ખર્ચો કેમ કરાવ્યો ?’ એવો બેવકૂફ જેવો સવાલ કરવો નહિ.

73. રેલ્વે સ્ટેશને કે એરપોર્ટ પર એને વિદાય કરવા જતી વખતે ક્યારેય મોઢું હસતું ના રાખો. તમારા અરમાનોને દબાવી રાખતા શીખો.

74. રાતે ઊંઘમાં બબડતા હોવ તો જે બોલોતે સ્પષ્ટ બોલો, ખાસ કરીને કોઈ સ્ત્રીનું નામ.

75. મોબાઈલ પર્સમાં મુક્યો હોય તો રીંગ ના સંભળાય એ કોમન સેન્સની વાત છે. સ્ત્રીઓ એ સિવાય મોબાઈલ ફોન ક્યાં મુકે? છે કોઈ જવાબ ?

76. ભોજનેશું માતા અને શયનેષુ રંભાને એવું બધું બહુ વિચારવું નહિ. ભોજનમાં ખીચડી ને શયન ખંડમાં પંખો મળે તો સંતોષ માનતા શીખો.

77. એ ઝડપથી ચાલી શકતી હોત તો વોકાથોનમાં ભાગ લેવા ના જાત ? કુતરું કે ગાય આસપાસમાં ના હોય ત્યાં સુધી એ ઝડપથી ચાલે એવી આશા ના રાખશો.

78. તમારી રૂપાળી એક્સ ગર્લફ્રેન્ડ સામે મળી જાય તો એનો હાથ ક્યારેય છોડી ના દેશો. આ એજ છે જેને તમે મોટા ઉપાડે પરણ્યા હતા, હવે એમાં આજે શરમાવા જેવું શું છે ?

79. એ જેમ છે એમ એને સ્વીકારો. જો કોઈ ના કહેવાથી કોઈ બદલાઈ શકતું હોત તો એણે તમને પહેલા બદલી નાખ્યા હોત !

80. એનો ફોન અધૂરા વાક્યે કટ ના કરો. અને ‘સારું પછી ફોન કરું છું’ એવું તો કદીયે ના કહેશો. ઓફિસમાંથી ફોન પર વાત થતી હોય તો કોઈ મહિલા કલીગ હસે નહિ તેવી તકેદારી રાખો.

81. રસ્તો ક્રોસ કરતી વખતે એને નક્કી કરવા દો કે રસ્તો ક્યારે અને ક્યાંથી ક્રોસ કરવો.સપ્તપદીમાં તમારો હાથ પકડીને અડધો કલાક ગોળ ફરવું એક વાત છે ને રોડ ક્રોસ કરવો બીજી.સપ્તપદીમાં એક્સીડેન્ટના બહુ ઓછા ચાન્સ હોય છે !

82. એના ધોળા થતા વાળ ને નજર અંદાજ કરો. જેમ કે એ તમારી ટાલને કરે છે !

83. ફિગર શું છે ? એક આંકડો ? આંકડાની માયાજાળમાં ના પડશો.

84. લગ્નના રીસેપ્શનમાં શરણાઈ વગાડવાના બદલે ‘જો તુમ કો હો પસંદ વોહી બાત કહેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે’ ગીત રીપીટ મોડ પર વગાડો.

85. આ એજ સ્ત્રી છે જેની સાથે તમે ફોન પર એટલી લાંબી વાત કરતા હતા કે વાતચીતમાં એની ખીચડી દાઝી જતી હતી. હવે બહારગામ ગયા હોવ તો કમ સે કમ મેગી દાઝી જાય ત્યાં સુધી તો ફોન કટ ના કરો !

86. ઓફિસમાં કોઈ સ્ત્રી સહકર્મચારી હોય તો ઘેર જતા પહેલા કપડા પર કોઈ વાળ નથી તે ચેક કરી લો.

87. એની સરખામણી કોઈ કાર સાથે કરવી હોય તો કમસેકમ ફિયાટ અને એમ્બેસેડર તો છોડી દો યાર !

88. એની મા જો તમને નીરુપા રોય જેવી લાગતી હોય તો છોકરી કેટરીના જેવી લાગે તેવી આશા કેમ રાખો છો ?

89. કાઠીયાવાડમાં ચા અને શરબત વચ્ચે તાપમાનનો જ ફરક હોય છે એ લોથલ જોક છે. હવે એને ત્યાં કેટલી ગળી ચા બને છે એના બખાળા લગ્નના પાંચ વરસ પછી ના કરાય.

90. એના પપ્પા તમને હિટલર લાગતા હોય તો હિટલરની છોકરી સાથે લગન કર્યાનો તમારે ગર્વ લેવો જોઈએ.

91. એ જીમ જોઈન કરવા ઈચ્છતી હોય તો કરવા દો. જો તમે ના પાડશો તો જિંદગીભર તમારે કારણે એ બેડોળ દેખાય છે એવું લાંછન લાગશે. અને હા પાડશો તો એક જ અઠવાડિયામાં એને તાવ આવી જશે અને તમે આખી જીંદગી જીમના પૈસા પાણીમાં ગયા એવું ગાઇ શકશો. જાડી તો એ કોઈ પણ સંજોગોમાં દેખાશે જ.

92. પુરુષ ના હોત તો બરણીના ઢાંકણા કોણ ખોલત ? ટાઈટ ફસાયેલી તપેલીઓ કોણ છૂટી પાડત ? કે નારિયેળ કોણ છોલી આપત?? એવા વ્યર્થ વિચારો ન કરવા.

93. ખાના-ખજાના જેવા કાર્યક્રમો માત્ર જોવા માટે હોય છે. એ જોઈ, રેસીપી મુજબ એ ઘરમાં ખાવાનું ન બનાવે એ જ સમગ્ર પરિવારના હિતમાં છે. આ બાબતે ખોટો આગ્રહ રાખવો નહિ.

94. એ તૈયાર થતી હોય ત્યારે રાહ જોતી વખતે થઇ શકે તેવા કામોનું લીસ્ટ બનાવો અને ફેસબુક પર પોસ્ટ કરો. જનહિતમાં.

95. પુરુષ હોય એટલે સાવરણી ન પકડાય એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? બતાવો ચલો.

96. સ્ત્રી ગમે એટલી પુરુષ-સમોવડી હોય દિવાળીમાં માળીયામાં તો પુરુષે જ ચઢવાનું હોય.યાર,ગરોળીનો ડર તો લાગે જ ને !

97. સાસરા વિષે ગમે તેવા શબ્દો ક્યારેય ન વાપરો. એ પિયર ગઈ હોય તો યાર એ પાકિસ્તાન ગઈ છે એમ કહેવાય ? આટલી દુશ્મનાવટ ?

98. રાત્રે નસકોરા બન્નેના બોલે છે. તમને ઊંઘ ના આવે એમાં એનો વાંક ના કાઢો.

99. એને ગાર્ડનીંગનો શોખ જાગ્યો છે ? તમે એનો ક્યારેય વિરોધ ના કરતા કારણકે એક વરસ પછી તમારા ફ્લેટની બાલ્કનીમાં માત્ર ત્રણ જ કુંડા હશે, 1) ઓફીસ ટાઈમ, 2) તુલસી અને 3) મનીપ્લાન્ટ. હવે એ આને ગાર્ડનીંગ માનતી હોય તો માનવા દો ને યાર !

100. પરણિત પુરુષે ડ્રાઈવર, રામો, સફાઈ કામદાર, કુલી, મિત્ર, પેટ, ઇલેક્ટ્રીશિયન, વિ.વિ. ઘણા પાત્રો ભજવવાના હોય છે. તમે આ અંગે પુરતો અનુભવ ધરવતા ન હોવ તો એ તમારી સમસ્યા છે.

101. તમે એની સમક્ષ ગાવાની કોશિશ ન કરશો. એથી ઉલટું, તમે એને ગાવા માટે કહી જેવી એ આંખો બંધ કરી ગાવા લાગે તમે છાપું વાંચવાનું ચાલુ કરી દો. ગીત પૂરું થતા એનો અવાજ પેલી કોક નવી સિંગર સાથે મળે છે તેવા કોમ્પ્લીમેન્ટ આપો.

નોંધ:
1) આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરવી નહિ.
2) આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.

3) ઉપરના ઉપાયો પર વિશ્લેષણ કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.

4) કુંવારાઓ માટે શું ? એવા વાહિયાત સવાલો અહી ન કરવા.

5)છોકરીઓએ આ આર્ટીકલ ફક્ત જાણ ખાતર વાંચવો.

6) આ ૧૦૧ ઉપાયો પછી પણ એ ખુશ નાં રહે, અને એવી ઘણી શક્યતાઓ છે તો ભોગ તમારા, એ તમારા કોઈ પૂર્વજન્મના કર્મોનું ફળ હશે !
અધીર અમદાવાદી

જય શ્રી કૃષ્ણ …………………………….

Posted in jambuda | Tagged | 3 Comments

अष्टावक्र गीता में राजा जनक को निम्नलिखित तीन बातें बताई गई हैं:


१. शरीर, मन और बुद्धि से दूर होकर आत्मा को प्राप्त करना चाहिए।

२. आत्मा सदा स्वतंत्र होती है और उसको कोई बाधा नहीं दे सकता।

३. सभी वस्तुएं माया हैं और असल ज्ञान के लिए ज्ञानी को उनसे ऊपर उठकर आत्मा के प्रति ध्यान करना होता है।

ये बातें आत्मज्ञान और आध्यात्मिक जीवन की महत्वपूर्ण सिद्धांतों को स्पष्ट करती हैं जो संसार में आनंद और शांति की प्राप्ति के लिए अत्यंत आवश्यक होते हैं।

Posted in jambuda | Tagged , , | Leave a comment

lopox tablet uses


લોપોક્સ ટેબ્લેટ એક ઔષધિ છે જે વિવિધ સંક્રમણોના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. આ એન્ટીબાયોટિક દવા છે જે બેક્ટેરિયલ સંક્રમણો સાથે લડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ફોડા, જવાણી, જડાણ, ગુપ્ત રોગો, સંગ્રહણાત્મક લડાઈ, વિવાદો અને અન્ય સંક્રમણોના ઉપચાર માટે કરવામાં આવે છે.

આ ટેબ્લેટ દવાઓની રૂપરે ઉપલબ્ધ છે અને તેની માત્રા અને અવધિ ડૉક્ટર દ્વારા સૂચવાઈ ગઈ હોય તો માત્ર લેવી જોઈએ. જેમ સામાન્યતઃ જમ્યા પહેલાં કે જમ્યા પછી સમયે લેવામાં આવે છે.

જો તમે આ દવાનો ઉપયોગ કરવા માંગતા હો તો, કૃપા ડોક્ટર ની સલાહ લો

लोपोक्स टॅबलेट एक औषधि है जो विभिन्न संक्रमणों के इलाज के लिए उपयोग की जाती है। यह एक एंटीबायोटिक दवा है जो बैक्टीरियल संक्रमणों से लड़ने में मदद करता है। इसे फोड़े, खोज, क्षत्रविद्रोह, गुप्त रोगों, संग्रहणात्मक जंग, विवादों और अन्य संक्रमणों के इलाज के लिए उपयोग किया जाता है।

यह टॅबलेट दवाओं के रूप में उपलब्ध होता है और इसे अपने चिकित्सक द्वारा सलाह दी गई मात्रा और अवधि के अनुसार लेना चाहिए। इसे सामान्यतया खाने के साथ लिया जाता है और इसे खाने से पहले या खाने के बाद ले सकते हैं।

यदि आप इस दवा का उपयोग करने के बारे में सोच रहे हैं, तो कृपया अपने चिकित्सक से परामर्श करें। वह आपको सही मात्रा और अवधि के बारे में सलाह देंगे और आपके रोग के लिए सही इलाज की सुझाव देंगे।


Lopox Tablet is an antibiotic medicine used to treat various bacterial infections. It contains Lomefloxacin as its active ingredient, which belongs to a class of drugs called fluoroquinolones. Lopox Tablet works by stopping the growth and multiplication of bacteria that cause infections. It is commonly used to treat infections of the urinary tract, prostate gland, and respiratory system.

However, please note that the use of this medicine should always be prescribed by a doctor and should not be self-medicated. The dosage and duration of treatment should be determined by the doctor based on the severity of the infection and the patient’s medical history.

Posted in jambuda | Tagged | Leave a comment

ઓનલાઈન પુસ્તકો વાંચીને પૈસા કેવી રીતે કમાઈ શકાય | પુસ્તકો વાંચીને કમાણી કરો | How to Earn Money by Reading Books Online In Gujarati


ઓનલાઇન પૈસા કમાવવાના ઘણા રસ્તા છે પણ આજે અમે તમારી સાથે પૈસા કમાવવાના એક નવા રસ્તા વિશે વાત કરીશું. જો તમે અલગ-અલગ પુસ્તકો રેગ્યુલર વાંચો છો અથવા તમને પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે. જો તમે પુસ્તકો વાંચીને ઘણું કઈકને કઈક શિખતા રહો છો તો આજની આ જાણકારી તમને ઘણી ઉપયોગી થશે.

આજે હું તમારી સાથે પૈસા કમાવવાના 6 રસ્તા વિશે વાત કરીશ, આ 6 રસ્તાને જો તમે સારી રીતે સમજશો તો તમે પુસ્તકો વાંચતાં-વાંચતાં પણ પૈસા કમાઈ શકો છો.

સૂચના: જો તમે ડાઇરેક્ટ એવું વિચારતા હોવ કે તમે માત્ર પુસ્તકો વાંચશો અને તમને પૈસા મળી જશે? તો આ પોસ્ટ આ માટે નથી લખવામાં આવી. અમે બસ એ જણાવવા માંગીએ છીએ કે જો તમને પુસ્તકો વાંચવાનો શોખ છે તો તમે કેવી રીતે આ શોખથી એક નવી આવક ઊભી કરી શકો છો

પુસ્તકો વાંચવા-વાંચતાં પૈસા કમાવવાના 6 રસ્તા

1. વિડિયો બનાવીને

જો તમે પુસ્તકો વાંચો છો તો તમે પુસ્તક ઉપર અલગ-અલગ પ્રકારના વિડિયો પણ બનાવી શકો છો અને તેને Youtube પર અપલોડ કરીને કમાણી કરી શકો છો.

જો તમે કોઈ પુસ્તક ધ્યાનથી વાંચ્યું હશે તો તમને ઘણું બધુ એમાંથી શીખવા મળ્યું હશે તો તમે પુસ્તક વાંચ્યા બાદ એક પૂરો વિડિયો બનાવી શકો છો કે તમને તે પુસ્તકમાંથી શું-શું શીખવા અને જાણવા મળ્યું.

તમે તે પુસ્તકમાંથી શિખેલી વસ્તુને કેવી રીતે પોતાના જીવનમાં ઉતારી અને તમારું જીવન કેવી રીતે બદલાયું એવા અનુભવો તમે વિડિયો દ્વારા રજૂ કરી શકો છો.

ઘણા લોકો નવું પુસ્તક ખરીદતા પહેલા અથવા કઈક નવું જાણવા માટે આવા વિડિયો જોતાં હોય છે.

તમે પૂરા પુસ્તકનો સારાંશ પણ 10 કે 20 મિનિટના વિડિયોમાં સમજાવી શકો છો. તમે અલગ-અલગ પુસ્તકોને ખરીદીને તેના ઉપર રિવ્યૂ વિડિયો બનાવી શકો છો.

જો તમને કોઈ પુસ્તકનો વિચાર ગમ્યો હોય તો તમે તેના વિશે ચર્ચા કરતો વિડિયો બનાવી શકો છો, તમે પુસ્તકોના વિચારો સમજીને તેમાં પોતાના વિચારો વિડિયો દ્વારા જણાવી શકો છો.

આવા વિડિયોથી જોવાવાળા દર્શકોને વધારે તે પુસ્તક વિશે જાણવા મળે છે. એક જ પુસ્તકમાં ઘણા બધા ચેપ્ટર હોય છે તો તમે એક-એક ચેપ્ટરનો વિડિયો બનાવીને પણ દર્શકોને સમજણ આપી શકો છો.

તમારે પુસ્તકોને કોપી નથી કરવાનું પણ પુસ્તક વિશે જ્યારે તમે વાત કરો ત્યારે પોતાના વિચારો પણ ઉમેરવાના જેથી દર્શકોને વધારે વેલ્યૂ મળે.

આવા વિડિયો તમે બનાવીને યુટ્યુબ જેવા પ્લૅટફૉર્મ પર મૂકી શકો, ફેસબુક પર પણ મૂકી શકો છો અને તેમાંથી કમાણી પણ કરી શકો છો.

2. લખાણ લખીને

જો તમારે પુસ્તકો ઉપર વિડિયો ન બનાવવા હોય તો તમે તેના વિશે લખાણ લખી શકો છો. તમે ઇન્ટરનેટ પર પોતાની મનપસંદ ભાષા ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતીમાં એક બ્લોગ બનાવી શકો છો જેમાં તમે પુસ્તકો વિશે આર્ટીકલ લખો અને જ્યારે તમારા બ્લોગ પર વાંચકો આવવાના શરૂ થશે ત્યારે તમે જાહેરાતો લગાવીને પૈસા કમાવી શકો છો.

તમે અલગ-અલગ પ્લૅટફૉર્મ જેમ કે Quora, Medium, Instagram કે Twitter જેવા પ્લૅટફૉર્મમાં પણ પોતાનું લખાણ શેર કરીને વધારે વાંચકો વધારીને તમે અલગ-અલગ રીતે પોતાના કન્ટેન્ટને Monetize કરી શકો છો.

તમારી પાસે બસ પોતાનું લખાણ હોવું જોઈએ અને તેને વાંચવાવાળા લોકો પણ, આનાથી તમે ઘણી અલગ-અલગ રીતે કમાણી કરી શકો છો.

3. ગ્રાફિક્સ બનાવીને

જો તમને અલગ-અલગ ગ્રાફિક્સ ચિત્રો બનાવવાનું પસંદ હોય તો તમે અલગ-અલગ ગ્રાફિક્સ ચિત્રો બનાવી શકો છો જેમાં તમે તે પુસ્તકમાં જણાવેલી ઘટનાઓને દર્શાવી શકો છો અને તેમાંથી મળતી શીખને દર્શાવી શકો છો.

આ ગ્રાફિક્સ ચિત્રોને તમે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં પોસ્ટ કરી શકો છો અને પોતાના ફોલોવર્સ વધારી શકો છો.

જ્યારે તમારા ફોલોવર્સ વધવાના ચાલુ થઈ જાય ત્યારે તમે અલગ-અલગ કમાણીના રસ્તા દ્વારા પૈસા કમાઈ શકો છો.

જેમ કે તમે Affiliate Marketing કરી શકો છો, ઇ-પુસ્તક પોતાનું બનાવીને વેચી શકો છો, તમે અલગ-અલગ સ્પોન્સરશીપ લઈ શકો છો.

આવા ઘણા કમાણીના રસ્તા છે, બસ તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ અને તેને જોવા વાળા લોકો પણ હોવા જોઈએ.

4. ઓડિઓ બૂક બનાવીને

જો તમારો અવાજ સારો છે અથવા તમને બોલવાનું ગમે છે તો તમે અલગ-અલગ પુસ્તકોનું ઓડિઓ બૂક બનાવીને તેને અલગ-અલગ ઓડિઓ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મમાં અપલોડ કરી શકો છો.

તમે ઓડિઓબૂકને યુટ્યુબમાં પણ અપલોડ કરી શકો છો અને પૈસા કમાવી શકો છો. તમારે બસ જોવાનું છે કે હાલ અત્યારે કયા-કયા એવા પ્લૅટફૉર્મ છે જ્યાં ઓડિઓબૂક છે અને કેવી રીતે તે લોકો ઓડિઓબૂક બનાવે છે, તેના નિયમો વગેરે તમારે જાણવા પડશે અને તમે સરસ-સરસ ઓડિઓબૂક બનાવી શકો છો.

5. કોર્સ બનાવીને

તમે કોઈ પુસ્તક ઉપર પૂરો કોર્સ પણ બનાવી શકો છો જેમાં તમે તે પુસ્તકો વિશે પોતાના વિચારો દ્વારા સારી સમજણ આપી શકો છો. તમે તે કોર્સને અલગ-અલગ પ્લૅટફૉર્મમાં અપલોડ કરી શકો છો, આ કોર્સને તમે વેચીને પૈસા કમાઈ શકો છો. આ કોર્સના પ્રમોશન માટે તમે ઓનલાઇન તમારા તે કોર્સની જાહેરાતો ચલાવી શકો છો.

6. પ્રૂફરીડર તરીકે – Proofreader

તમે એક પ્રૂફરીડર પણ બની શકો છો. ઘણા લેખકોને પ્રૂફરીડરની જરૂર હોય છે કારણ કે તે લેખકોને પોતાનું લખાણ પબ્લિશ કરતાં પહેલા બધી ભૂલો સુધારવાની હોય છે અને આ કામમાં પ્રૂફરીડર વધારે કામ આવે છે.

એક પ્રૂફરીડર લખાણ વાંચીને તેમાં રહેલી બધી વ્યાકરણ કે જોડણીની ભૂલોને જોવે છે અને લખાણ વાંચવા લાયક છે કે નહીં એ પણ જોવે છે આની એક-એક કરીને બધી ભૂલો બહાર કાઢીને સુધારે છે.

જો કોઈ ભાષામાં તમે જાણકાર હોવ તો તમે તે ભાષામાં પ્રૂફરીડર તરીકે કામ કરી શકો છો. તમે ફ્રીલાન્સ તરીકે પણ કામ કરી શકો છો.

આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. તમે કોઈ પણ કામ કરો કે કોઈ પણ પ્લૅટફૉર્મ પર કામ કરો તો તેના નિયમો પણ જરૂર જોજો જેથી તમે કરેલી મહેનત ન વેડફાય. આભાર.

Posted in jambuda | Leave a comment


ઓનલાઈન કેવી રીતે કમાઈ શકાય? HOW TO EARN ONLINE ?

ઓનલાઈન પૈસા કમાવવાની ઘણી રીતો છે.

અહીં કેટલાક લોકપ્રિય વિકલ્પો છે: ફ્રીલાન્સિંગ: તમે અપવર્ક, ફ્રીલાન્સર અથવા Fiverr જેવી વેબસાઇટ્સ પર ફ્રીલાન્સર તરીકે તમારી કુશળતા પ્રદાન કરી શકો છો. તમે લેખક, ગ્રાફિક ડિઝાઈનર, વેબ ડેવલપર, વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ અથવા તમારી પાસે કોઈપણ અન્ય કુશળતા તરીકે કામ કરી શકો છો.

ઓનલાઈન સર્વેક્ષણો: તમે Swagbucks, Survey Junkie અથવા Toluna જેવી વેબસાઈટ પર ઓનલાઈન સર્વેક્ષણોમાં ભાગ લઈને પૈસા કમાઈ શકો છો. આ વેબસાઇટ્સ તમને ઉત્પાદનો અથવા સેવાઓ પર તમારા અભિપ્રાય શેર કરવા માટે ચૂકવણી કરે છે.

સંલગ્ન માર્કેટિંગ: તમે તમારી વેબસાઇટ, બ્લોગ અથવા સોશિયલ મીડિયા પર ઉત્પાદનો અથવા સેવાઓનો પ્રચાર કરી શકો છો અને તમારી અનન્ય સંલગ્ન લિંક દ્વારા કરવામાં આવેલા વેચાણ પર કમિશન મેળવી શકો છો.

ઑનલાઇન ટ્યુટરિંગ: તમે VIPKid, Chegg, અથવા Tutor.com જેવી વેબસાઇટ્સ દ્વારા વિદ્યાર્થીઓને ઑનલાઇન શીખવી શકો છો. તમે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અથવા તો સંગીત સહિત વિવિધ વિષયો શીખવી શકો છો.

ઓનલાઈન વેચાણ: તમે Amazon, eBay અથવા Etsy જેવી વેબસાઇટ્સ પર ઉત્પાદનો વેચી શકો છો. તમે તમારા પોતાના ઉત્પાદનો વેચી શકો છો અથવા અન્ય ઉત્પાદનો માટે પુનર્વિક્રેતા બની શકો છો. એ નોંધવું અગત્યનું છે કે ઑનલાઇન પૈસા કમાવવામાં સમય, પ્રયત્ન અને સમર્પણ લાગે છે.

તમારે નવી કુશળતા શીખવા, તમારી જાતને માર્કેટિંગ કરવા અને તમારા પ્રયત્નોમાં સતત રહેવા માટે તૈયાર રહેવાની જરૂર છે.

Posted in jambuda | Leave a comment

આરા વારા ની વાર્તા અને પિતૃ મોક્ષ કથા || શ્રાવણ વદ તેરસ થી અમાસ પિતૃ વ્રત || ગરુડ પૂરાણ કથા ||


આરા વારા ની વાર્તા અને પિતૃ મોક્ષ કથા || શ્રાવણ વદ તેરસ થી અમાસ પિતૃ વ્રત || ગરુડ પૂરાણ કથા ||. સર્વ પિતૃ અમાસ સર્વ પિતૃ અમાસ સંપૂર્ણ કથા | bhadarvi amas ni varta | pitru tarpan ભાદરવી અમાસ ની વાર્તા પિતૃ તર્પણ Sarv pitru amas katha Amavashya ni vrat-katha #સર્વપિતૃઅમાસ # ભાદરવીઅમાસનીવાર્તા # પિતૃતર્પણ પિતૃ ની વાર્તા, ભાદરવી અમાસ ની વાર્તા, pitru dev ni varta, ભાદરવી અમાસ, awara ni varta, pitru ni varta, આરા, maromalafasanavaro, અમાસ ની વાર્તા, ની વાર્તા, પિતૃ દેવ ની વાર્તા, #આરાવારા #આરાવારાનીવાર્તા #ara_vara # પિતૃ_મોક્ષ_કથા # પિતૃમોક્ષ સર્વ પિતૃ અમાસ ની સંપૂર્ણ વાર્તા,ભાદરવી અમાસની સંપૂર્ણ વાર્તા,bhadravi amas ni varta,sarv pitru amas ni varta,pitru tarpan,pitru pindadan,પિતૃ પિંડદાન,ભાદરવી નો મેળો,ભાદરવી અમાસનો મેળો,ભાદરવી અમાસ ની વાર્તા,પિત્રુદોશ નુ નિવારણ,સર્વ પિત્રુ અમાસ,શ્રાવણી અમાસની વાર્તા,ભાદરવી અમાસ ની વ્રતકથા,sarvpitri amash,pitru paksha,શ્રાદ્ધ પક્ષ,પિતૃ તર્પણ,સર્વ પિતૃ અમાસ,pitru,સર્વ પિતૃ તર્પણ,વાર્તા,varta,સર્વપિત્રી અમાસ JIVAN JYOT #JIVANJYOT #JIVAN_JYOT #JEEVAN_JYOT जिवन ज्याेत ,JIVAN JOT , jivanjot, जिवनज्याेत, ज्याेत LIKE | COMMENT | SHARE | SUBSCRIBE For subscribe: https://www.youtube.com/c/JIVANJYOT Jivan Jyot Media, #jivanjyotmedia

Posted in jambuda | Leave a comment

 satyanarayan katha 


સંપૂર્ણ “શ્રીસત્યનારાયણ ભગવાનની વ્રત કથા”વિધિ, ગુજરાતીમા || satyanarayan katha in gujarati ||

સંપૂર્ણ “શ્રીસત્યનારાયણ ભગવાનની વ્રત કથા”વિધિ, ગુજરાતીમા || satyanarayan katha in gujarati || #satynarayankatha #katha #satynarayan #jivanjyot #jivanjyotmedia #satyanarayan_katha Hi, thanks for watching our video about : satyanarayan katha in gujarati In this video we’ll walk you through : https://youtu.be/rcutsCAXfL0 1 Glory to God Satyanarayana : (સત્યનારાયણ ભગવાનનો મહિમા) 2 Special issues of Satyanarayana worship (સત્યનારાયણ પૂજાના વિશેષ મુદ્દા) 3 Satyanarayana Katha in full five chapters (સત્યનારાયણ કથા સંપૂર્ણ પાંચ અધ્યાય માં ): #satynaraqynkatha #satynarayn #katha #satynarayndev #jivanjot #storyidea TIMESTAMPS 0:00 Intro 0:26 Glory to God Satyanarayana 1:25 Special issues of Satyanarayana worship 2:06 Satyanarayana Katha part 1. 6:52 Satyanarayana Katha part 2 13:26 Satyanarayana Katha part 3 24:04 Satyanarayana Katha part 4 32:31 Satyanarayana Katha part 5 ABOUT OUR CHANNEL Our channel is about Religious narrative story We cover lots of cool stuff such as Religious vratakatha, Biography of Monk Saints,and Worth to know. Check out our channel here: https://www.youtube.com/c/JIVANJYOT Don’t forget to subscribe! CHECK OUT OUR OTHER VIDEOS https://youtu.be/kVicPaSIWtg https://youtu.be/eIk7ssLMLfo https://youtu.be/nsGBQFSEV0k full satyanarayan vrat katha gujarati,ગુરુવાર સ્પેશીયલ,સંપૂર્ણ શ્રી સત્યનારાયણ વ્રત કથા,શ્રી સત્યનારાયણ ભગવાન,વ્રત કથા,કથા,વ્રત,vrat katha,katha,સંપૂર્ણ શ્રી સત્યનારાયણ,સત્યનારાયણ વ્રત કથા,શ્રી સત્યનારાયણ ભગવાનની કથા,સત્યનારાયણ ભગવાનની પાંચ અધ્યાય ની કથા,કથા વિધિ,aarti,satyanarayan,jivan jyot,#jivanjyot,aavo,satsang ma,gujarati satyanarayan katha,સત્યનારાયણની કથા,satynarayn katha,satyanarayan katha,satyanarayan vrat katha,satyanarayan katha gujarati FIND US AT GET IN TOUCH Contact us on : FOLLOW US ON SOCIAL Get updates or reach out to Get updates on our Social Media Profiles! Twitter: Facebook: https://www.facebook.com/JIVANJYOTUTUBE Instagram: Spotify: એવું કહેવામાં આવે છે કે સત્યનારાયણ કથાની કથા વર્ણવવાથી હજારો વર્ષોથી જે યજ્ઞ કર્યું હોય તેનું એક ફળ મળે છે અને સત્યનારાયણની કથા સાંભળવીએ પણ સદ્ભાવનાની વાત માનવામાં આવે છે કોઈ શુભ કાર્ય થાય અથવા તો મનોકામના પૂર્ણ થાય તો સત્ય નારાયણ ની કથા કરવામાં આવે છે . અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સત્યનારાયણ ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે. તમે પણ સત્યનારાયણની કથાનો લાભ લીધો જ હશે પરંતુ તમે જાણો છો કે કેમ કરવામાં આવે છે સત્યનારાયણની કથા? સત્યનારાયણની કથાના લાભ શું છે ? જો નહીં, તો અમે તમને તેના વિશે બતાવીશુ. સત્ય ને નારાયણના રૂપમાં પૂજવા માટે સત્યનારાયણ ની પૂજા કહે છે આનો મતલબ એમ છે કે આ સંસાર માં નારાયણ જ એક માત્ર સત્ય છે બાકી મોહ માયા છે. સત્યમાં જ આ સંસાર સમાયેલું છે. સત્ય વગર આ દુનિયા કઈ જ નથી . સત્યનારાયણ ભગવાનનો મહિમા ભગવાન સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે. ભગવાન સત્યનારાયણનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે. સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુએ નારદને આ વ્રતનું મહત્વ જણાવ્યું છે.કળિયુગમાં સૌથી સરળ, સૌથી પ્રખ્યાત અને અસરકારક પૂજા ભગવાન સત્યનારાયણની માનવામાં આવે છે. સત્યનારાયણ પૂજાના વિશેષ મુદ્દા જ્યોતિષીઓ અનુસાર સત્યનારાયણની કથાના બે ભાગ છે. પ્રથમ ઉપવાસની કથા છે અને બીજી સત્યનારાયણની કથા છે. એવું કહેવામાં આવે છે કે કળિયુગ સૌથી કલ્યાણકારી ઝડપી છે. ભગવાન સત્યનારાયણનો ઉપવાસ કરવો કારણ કે તેમની ઉપાસના ખૂબ જ સરળ અને વિશેષ છે. તેમની પૂજા ખૂબ જ સરળ રીતોથી કરી શકાય છે. ગૌરી-ગણેશ, નવગ્રહ અને તમામ દિકલ્પ પણ તેમની પૂજામાં શામેલ છે. કેળાના ઝાડ નીચે તેમની પૂજા કરો અથવા તમારા ઘરના બ્રહ્મા સ્થળે તેમની પૂજા કરો. આ પ્રસાદમાં પાંજિરી, પંચામૃત, ફળ અને તુલસી દાળ સૌથી મહત્વપૂર્ણ છે. પૂજા માટેનો શ્રેષ્ઠ સમય દરેક ઉપાસના અને આરાધના માટે સારો સમય હોય છે, જેમાં પૂજા ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે, તો ચાલો તમને જણાવીએ કે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે કોઈપણ મહિનાની પૂર્ણિમા પર. કોઈપણ ગુરુવારે. કોઈ મોટા સંકટ આવે તો તેમની ઉપાસના શ્રેષ્ઠ રહેશે. full satyanarayan vrat katha gujarati @jivanjyot, @JIVANJYOT @JIVAN_JYOT_MEDIA, @MELDI , @MELDIMAA

Posted in jambuda | Leave a comment

Kevda Trij Vrat Katha In Gujarati || કેવડાત્રીજ વ્રત પૂજા વિધિ || કેવડાત્રીજની વાર્તા ||


Posted in jambuda | Leave a comment

Sama Pacham Na Vart Ni Varta || સામા પાંચમ ની સંપૂર્ણ વાર્તા ગુજરાતી માં || Sama Pancham 2021 ||


Posted in jambuda | Leave a comment

Janmashtami Katha || Janmastami Ni Varta || || Gujarati Devotional Varta ||


Posted in jambuda | Leave a comment

Evrat Jivrat Vrat (Divaso Vrat) || એવરત જીવરત વ્રત કથા ( દિવસો) || અખંડ સૌભાગ્ય આપતું વ્રત ||


Posted in jambuda | Leave a comment

દશામાં નું વ્રત કથા અને વિધિ || Dasha Ma Nu Vrat Katha Ane Vidhi || #dashama


Posted in jambuda | Leave a comment

Why Is Nag Panchami So Popular Right Now || નાગ પાંચમ ની વાર્તા || Nag Pancham Ni Varta ||


Posted in jambuda | Leave a comment

Mangla Gauri Vrat Katha || પુત્રપ્રાપ્તિ અને અખંડ સૌભાગ્ય આપનારું મંગળાગૌરી વ્રત || મંગળાગૌરીવ્રત ||


Posted in jambuda | Leave a comment

vat savitri vrat katha ll વટસાવિત્રી ની કથા અને વિધિ ll वट सावित्री की कथा ll


Posted in jambuda | Leave a comment

The Untold Story of Randal Maa || Here’s What You Don’t Know About Randal Maa || રાંદલ માં ના લોટા |


The Untold Story of Randal Maa || Here’s What You Don’t Know About Randal Maa || રાંદલ માં ના લોટા |

Hi,

thanks for watching our video about : https://youtu.be/AENJV-dUCVM

In this video we’ll walk you through :

1 માઁ રાંદલ ની સ્થાપના શા માટે કરવા માં આવે છે ? Why is Ma Randal established?

2 માઁ રાંદલ ના લોટા શા માટે તેડવા માં આવે છે ? Randal Ma na lota sha mate tedva ma aave che?

3 માઁ રાંદલ નો ઘોડો શા માટે ખૂંદવામાં આવે છે ? randal maa no ghodo sha mate khunava ma ave che ?

TIMESTAMPS

0:00 Intro

0:37 માઁ રાંદલ ની સ્થાપના શા માટે કરવા માં આવે છે ? Why is Ma Randal established?

1:10 માઁ રાંદલ ના લોટા શા માટે તેડવા માં આવે છે ? Randal Ma na lota sha mate tedva ma aave che?

2:26 માઁ રાંદલ નો ઘોડો શા માટે ખૂંદવામાં આવે છે ? randal maa no ghodo sha mate khunava ma ave che ?

ABOUT OUR CHANNEL Our channel is about Religious narrative story We cover lots of cool stuff such as Religious vratakatha, Biography of Monk Saints,and Worth to know.

Check out our channel here: https://www.youtube.com/c/JIVANJYOT

Don’t forget to subscribe! CHECK OUT OUR OTHER VIDEOS

Ravivar vrat katha || સૂર્ય નારાયણની વ્રત કથા || Sury narayan Gujrati Vrat Katha || #surynarayan, #સૂર્યનારાયણની_વાર્તા, ____

જાણો શા માટે આવ્યા દળવા માઁ રાંદલ ? માઁ રાંદલ નો ઇતિહાસ। History of Ma Randal।

Jay randal

FIND US AT GET IN TOUCH Contact us on : FOLLOW US ON SOCIAL Get updates or reach out to Get updates on our Social Media Profiles! Twitter: Facebook: https://www.facebook.com/JIVANJYOTUTUBE Instagram: Spotify:

Posted in jambuda | Leave a comment

Akshay Tritiya


tomorrow Akshay Tritiya
An extremely holy day.
God, Goddess manifested. The whole day is very sacred for good deeds and worship. Any work done on this day never goes to waste. Atlej then Akshay Tritiya is very auspicious and holy.
આવતી કાલે અક્ષય તૃતિયા
એક અતિ પવિત્ર દિન.
દેવ, દેવીનું પ્રાગટ્ય થયેલ. શુભ કાર્યો અને પૂજન અર્ચન માટે આખો દિવસ અતિ પવિત્ર. આ દિવસે કરેલા કોઇપણ કાર્યનો ક્યારેય ક્ષય થતો નથી. એટલેજ તો અક્ષય તૃતિયા અતિ શુભ અને પવિત્ર છે.

Posted in jambuda | Leave a comment

આ એક મંત્રમાં તમામ મુશ્કેલીઓના સમાધાનની શક્તિ છે સહસ્ત્રનામનો જાપ કર્યા સમાન મળશે ફળ || આજે સાંભળો 1 મિનિટમા એક શ્લોકી વિષ્ણુ સહસ્ત્ર નામ || Vishnu Sahasranamam 1 – Shloki ||


  • વિષ્ણુ સહસ્ત્રનામ એક એવો મંત્ર છે જેમાં વિષ્ણુના હજાર નામોનું સમિશ્રણ છે એટલે કે કોઇ વ્યક્તિ ભગવાન વિષ્ણુના હજાર નામોનો જાપ નથી કરી શકતા તો તેઓ આ એક મંત્રનો જાપ કરી શકો છો. આ એક મંત્રમાં અથાગ શક્તિ રહેલી છે જે કળયુગમાં તમામ પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ થશે.
  • વિષ્ણુ સહસ્ત્રનામમાં વિષ્ણુ શમ્ભુ, શિવ, ઇશાન અને રુદ્રના નામથી સંબોધિત કરવામાં આવ્યા છે જે સાબિત કરે છે કે શિવ અને વિષ્ણુ એક જ છે. મહાભારતના ‘અનુશાસન પર્વ’માં ભગવાન વિષ્ણુના એક હજાર નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે જ્યારે ભીષ્મ પિતામહ જ્યારે બાણોની શય્યા પર પોતાની ઇચ્છા મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે તેમણે એક હજાર નામ યુધિષ્ઠિરને જણાવ્યા હતા. જ્યારે યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યુ કે ‘કિમેકમ દૈવતમ લોકે, કિમ વાપ્યેકમ પરયણમ’ એટલે કે કોણ એવું છે જે સર્વ વ્યાપ્ત છે અને સર્વ શક્તિમાન છે? ત્યારે પિતામહે પોતાના સંવાદમાં ભગવાન વિષ્ણુના આ એક હજાર નામનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યુ કે પ્રત્યેક યુગમાં તમામ શક્તિની પ્રાપ્તિ માટે,
  • આ એક હજાર નામો સાંભળવા અને જાપ કરવું સૌથી શ્રેષ્ઠ રહેશે અને ત્યારબાદ આ એક હજાર નામને એક મંત્રમાં સમાવિષ્ટ કરી દીધા.
  • વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર મંત્ર : –
  • नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे। सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नमः।।
  • જો દરરોજ સવારે આ એક મંત્રનો જાપ કરવામાં આવે તો જીવનમાં આવનાર મુસીબતોથી મુક્તિ મળે છે. વિષ્ણુ સહસ્ત્રનામ સંસ્કૃતમાં છે અને ઉચ્ચારણ પણ અઘરું છે, તેથી જો આ મંત્ર ખાલી સાંભળવામાં આવે તો પણ તે વ્યક્તિને ચોક્કસથી લાભ મળશે. જે લોકો આર્થિક રીતે નબળા છે તેમણે દરરોજ આ સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. શાસ્ત્રો અનુસાર જો દરેક ગુરુવારે કેળાના વૃક્ષ નીચે ભગવાન વિષ્ણુની પ્રતિમા લગાવીને તેની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, જો લગ્નમાં કોઇ અડચણ આવી રહી છે તો તે દૂર થશે.
  • #jivanjyot #વિષ્ણુસહસ્ત્રનામ_એકશ્લોકી​ #વિષ્ણુસહસ્ત્રનામ​ #Vishnu_Sahshra_Naam_Ak_Shloki​ #Vishnu_Sahshra_Naam_Ak_Shloki_With_Lyrics​ #Vishnu_Sahshra_Naam વિષ્ણુ સહસ્ત્રનામ એક એવો મંત્ર છે જેમાં વિષ્ણુના હજાર નામોનું સમિશ્રણ છે,આ એક મંત્રમાં તમામ મુશ્કેલીઓના સમાધાનની શક્તિ છે,ek shloki,ek shloki vishnu sahasranamam,ek shloki bhagwat,vishnu sahasranamam,vishnu sahastra with lyrics,vishnu sahasranamam with lyrics,vishnu sahastra namavali with lyrics,एक श्लोकी विष्णु सहस्त्रनाम,jivan jyot,#jivanjyot,વિષ્ણુ સહસ્ત્ર નામ,સહસ્ત્ર નામ,sahastra naam stotram,sahastra naam stotra,sahastra naam mala path,સહસ્ત્રનામનો જાપ
Posted in jambuda | Tagged , , , , , , , , , , , , , , , , | Leave a comment

વિષ્ણુ અષ્ટોત્તરશત નામાવલી || Shri Vishnu Ashtottarshata Namavali || ભગવાન વિષ્ણુના ૧૦૮ નામાવલી ||


વિષ્ણુ અષ્ટોત્તરશત નામાવલી નું રટણ કરવાથી માનવજાત બધા જ દુ:ખોમાંથી મુક્ત થશે ‘જે સર્વ-વ્યાપી સર્વોચ્ચ વિષ્ણુના એકસો આઠ નામો છે, જેઓ સર્વ લોકના સ્વામી, પરમ પ્રકાશ, સૃષ્ટિના સાર છે અને, બ્રાહ્મણ છે.જડ અને ચેતન બધા જ પદાર્થો તેમનાંમાં વસે છે અને તેઓ બધા પદાર્થોમાં વસે છે.

વિષ્ણુ અષ્ટોત્તરશતના પાઠના શ્રદ્ધાળુઓ એવો દાવો કરે છે કે તે કાયમી માનસિક શાંતિ લાવે છે અને તનાવમાંથી સંપૂર્ણ મુક્તિ આપે છે અને શાશ્વત જ્ઞાન આપે છે. વિષ્ણુ સહસ્રનામના અંતિમ શ્લોકોના (ફલશ્રુતિ) અનુવાદ આ મુજબ કહે છે: “અત્યારે કે પછી જે રોજ આ નામોનું શ્રવણ કે રટણ કરશે તે વ્યક્તિનું કશુ અહિત કે અશુભ નહીં થાય.” જે કોઈ સમર્પિત માનવ, સવારે વહેલો ઊઠીને પોતાને શુદ્ધ કરે છે,આ મનમાં વાસુદેવના ધ્યાન સાથે તેમના સમર્પિત આ સ્તોત્રનું રટણ કરે છે, તે માનવ ખૂબ કિર્તી મેળવે છે, તેની સાથેના લોકોમાં નેતૃત્વ મેળવે છે, સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ સમૃદ્ધિ મેળવે છે. તે બધા ભયોથી મુક્ત બનશે અને ખૂબ હિંમત અને બળ પ્રાપ્ત કરશે અને તે બધા રોગોથી મુક્ત થશે. રૂપની સુંદરતા, દેહની શક્તિ, અને સદગુણી ચારિત્ર્ય તેની પ્રકૃતિ હશે. જે આ સ્તોત્રનો ભક્તિ અને ધ્યાનથી રોજ પાઠ કરે તેને માનસિક શાંતિ, ધૈર્ય, સમૃદ્ધિ માનસિક સ્થિરતા, સ્મૃતિ અને ખ્યાતિ મળશે જેઓ પણ લાભ અને સુખ ઈચ્છતા હોય તેમણે વ્યાસ દ્વારા રચિત આ ભક્તિમય સ્તોત્રનું રટણ કરવું જોઈએ. કમળ જેવા નયનવાળા (કમળ નયન), જે સર્વ લોકના સ્વામી છે, જે અજન્મ છે, અને જેમાંથી લોકો ઉત્પન્ન થયા છે અને જેમાં તે વિલીન થાય છે તેની આદરથી ભક્તિ કરનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી.

By reciting the Vishnu Ashtottarshat Namavali, mankind will be freed from all sorrows, which is one hundred and eight names of the all-pervading Supreme Vishnu, who is the lord of all worlds, the supreme light, the essence of creation, and is Brahman. Is and they inhabit all objects.

Devotees of the Vishnu Ashtottarshata text claim that it brings lasting peace of mind and gives complete relief from stress and gives eternal knowledge. The translation of the last verses of Vishnu Sahasranama (Falashruti) says as follows: “There will be no harm or inauspiciousness to the person who hears or recites these names now or later on a daily basis.” Any devoted human being who wakes up early in the morning and purifies himself, recites this devotional hymn of his devotion with Vasudeva’s meditation in his mind, that human being gets much glory, gets leadership among the people with him, gets the best and supreme prosperity. He will be free from all fears and gain much courage and strength and he will be free from all diseases. Beauty of form, power of body, and virtuous character will be its nature. Anyone who recites this hymn daily with devotion and meditation will find peace of mind, patience, prosperity, mental stability, memory and fame. Anyone who wants benefit and happiness should recite this devotional hymn composed by Vyas. A person who worships with a lotus-like eye (Kamal Nayan), who is the lord of all worlds, who is unborn, and from whom people have arisen and into whom he merges, never loses.

Posted in jambuda | Leave a comment

ભગવાન રામ નું અમોઘ શસ્ત્ર એવા —-“રામરક્ષા સ્તોત્ર ” …


તમારા દરેક અંગ નું કરશે રક્ષણ આજ ના કપરા સમય માં સાંભળો આ સ્તોત્ર ભગવાન રામ નું અમોઘ શસ્ત્ર એવા —-“રામરક્ષા સ્તોત્ર ” …

Posted in jambuda | Leave a comment

who is really the richest person in the world || ખરેખર સાચો શ્રીમંત કોણ ?


તમારા બાળકો ને વાસ્તવિક સંપત્તિ નો પરિચય આપો , કે જેઓ સમૃદ્ધ અને ધનાઢ્ય થવા માંગે છે who is really the richest person in the world || ખરેખર સાચો શ્રીમંત કોણ ? Hi, thanks for watching our video about : In this video we’ll walk you through : https://youtu.be/S-wa54Olme0 1 What is the current lifestyle of your children? tell it 2 Real lifestyle philosophy 3 Lifestyle Philosophy Conclusion and Enlightenment TIMESTAMPS 0:00 Intro 0:30 What is the current lifestyle of your children? tell it 2:37 Real lifestyle philosophy 7:44 Lifestyle Philosophy Conclusion and Enlightenment ABOUT OUR CHANNEL Our channel is about Religious narrative story We cover lots of cool stuff such as Religious vratakatha, Biography of Monk Saints,and Worth to know. Check out our channel here: https://www.youtube.com/c/JIVANJYOT Don’t forget to subscribe! CHECK OUT OUR OTHER VIDEOS https://youtu.be/kVicPaSIWtg https://youtu.be/eIk7ssLMLfo https://youtu.be/nsGBQFSEV0k FIND US AT GET IN TOUCH Contact us on : FOLLOW US ON SOCIAL Get updates or reach out to Get updates on our Social Media Profiles! Twitter: Facebook: https://www.facebook.com/JIVANJYOTUTUBE Instagram: Spotify: Introduce real wealth to your children who want to be rich and prosperous, who is rich ? ખરેખર સાચો શ્રીમંત કોણ ? Who is really rich? Here’s What You Don’t Know About Who is rich , who is really the richest person in the world, JIVAN JYOT #JIVANJYOT #JIVAN_JYOT #JEEVAN_JYOT जिवन ज्याेत ,JIVAN JOT , jivanjot, जिवनज्याेत, ज्याेत LIKE | COMMENT | SHARE | SUBSCRIBE

Posted in jambuda | Leave a comment

અજનબી ચેહરા (પેહ્ચાની આવાઝ)


પેહ્ચાની આવાઝ – અજનબી ચેહરા
-મિત્રો, હિન્દી ફિલ્મો ના એવા કેટલાક સદાબહાર ગીતો છે જેનો કંઠ આપણો જાણીતો , પણ પરદે જે કલાકાર ના હોઠ હલ્યા ,એ ચહેરા અજનબી

  • તો કદરદાનો આજે એવા કેટલાક આગીયાં -કલાકારો નો પરિચય
    ‘વક્ત ; નું અજરામર ગીત ‘આગે ભી જાણે ના તું , પીછે ભી જાણે ના તું ‘
    પ્લેબેક છે આશાજી નો , પણ પરદે જે જાજરમાન યુરોપીયન જેવા લાગતા મહિલા માઈક પકડી ને પોતે સ્થાન પરજ ડોલતા બધા ને ડોલાવે છે ,એ નું નામ એરિકા લાલ ( એક અમેરિકન એરિકા, ભારતીય ને પરણ્યા ,એ બીજા ) નિર્માતા ચોપરા કુટુંબના સંબંધી. આ એમનો એક જ ફિલ્મી પરદે દેખાવ ,પછીક્યારે પણ પરદે ન ચમક્યા
    ———‘—————-”—-
    એય મેરે પ્યારે વતન , એય મેરે બિછડે ચમન , તુજ પે દિલ કુરબાન ‘ -કાબુલીવાલાનું આ ગીત ક્યાં વતનપરસ્ત ને નહી હચમચાવ્યું હોય ?

પરદા પર આ ગીત કોને હોઠે આવ્યું હતું ખબર છે ? ૧૦૦ માંથી ૯૯ લોકો કહેશે બલરાજ સહાની , પણ ના મિત્રો એ કલાકાર હતા વઝીર મોહમદ ખાન – જેને પ્રથમ બોલતી ફિલ્મ ‘અલમ આરા’ ૧૯૩૧ માં પેહલી વાર ગીત ગાયું યોગનું યોગ જુવો આલમ આરા ના બીજા બે રી -મેક માં વઝીર સાહેબ હતા . આ બેનમુન ગીત માં બલરાજ જી સમૂહ માં અન્ય મિત્રો જોડે શ્રોતાગણમાં ઓરડામાં દેખાય છે

‘લેકે પેહલા પેહલા પ્યાર ,ભર કે આંખો મેં ખુમાર ‘ સી આઈ ડી નું આ ધમાકેદાર ગીત કોઈ ઔરંગઝેબ ને જ નહી ગમતું હોય .સાહેબ મારા ન ગમવાનું કારણ હોઈ જ ન સકે દેવ જેવો કામદેવનો અવતાર મ શકીલા જેવી ચંચલ કાળી પણ કામણગારી આ ગીત
‘રફી શમસાદ ના ખ્ન્કતો અવાજ પણ પરદે જે બે કલાકારો આ ગીત ગુન્ગુનાવ્યું એ છે શીલા વાઝ , હબીબ (શિલા વાઝ તો રવ્વૈયા વસા વૈયા માં મુખ્ય નર્તકી , હબીબ ૫૦-૭૦ ના દાયકામાં વિલન ની ગેંગ માં સભ્ય તરીકે આવતા )


–મિત્રો – બીજા આવા આગિયા કલાકારો વિશે ફરી કોઈક વાર!!

Posted in jambuda | Leave a comment

ગરુડ પૂરાણ મુજબ ૧૦૦% સાચુ છે :


ગરુડ પૂરાણ મુજબ ૧૦૦% સાચુ છે :
〰〰〰〰〰〰〰〰〰〰〰

  • મૃત્યુ બાદ શું થાય ?
    〰〰〰〰〰〰
  • મૃત્યુ બાદ જીવન છે ?
    〰〰〰〰〰〰
  • શું મૃત્યુ પીડા દાયક છે ?
    〰〰〰〰〰〰〰
  • પૂન:જન્મ કેવી રીતે થાય ?
    〰〰〰〰〰〰〰〰
  • મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે ?
    〰〰〰〰〰〰〰〰〰〰〰〰

■ આવાં પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે…
જ્યારે –
આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય !

■ આવા સમયે આપણે વિચારીએ છીએ કે –
તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો ?

■ શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય ?

આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર –
આપણા પ્રાચીન ‘ગરુડ – પૂરાણ’ માંથી મળશે :-

ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ…

■ મૃત્યું એક રસદાયી ‘ક્રિયા’ અથવા ‘ઘટનાક્રમ’ છે.

પૃથ્વી – ચક્રનું જોડાણ છુટવુ:

■ અંદાજે મૃત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે –
પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે.

■ આ લક્ષણો એમ સૂચવે છે કે –
પૃથ્વી – ચક્ર જે પગના તળીયે આવેલ છે,
તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે…

■ મૃત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા ઠંડા પડી જાય છે.

■ જ્યારે મૃત્યુનો સમય આવે છે…
ત્યારે –
એમ કહેવાય છે કે…
યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.

  • જીવાદોરી ( Astral Cord ) :

■ જીવાદોરી એટલે –
આત્મા અને શરીર સાથેનું જોડાણ.

મૃત્યુનો સમય થતાં…
યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે..
અને,
આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે.
આ પ્રક્રિયાને જ ‘મૃત્યુ’ કહેવાય છે.

■ એકવાર જીવાદોરી કપાય…
એટલે –
આત્મા શરીરથી મુક્ત થઈ,
ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ કરે છે.

■ પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય –
તે શરીર ને છોડવા જલદી તૈયાર થતો નથી…
અને,
ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે.

■ મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષ નો અનુભવ કરી શકે છે.

આપણે ઘણી વાર જોઈએ છીએ કે –
મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે.
તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે.
તેને એમજ લાગે છે કે તે જીવંત છે.

■ પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે –
તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે.

■ આ સમયે –
આત્માને ઘણા અવાજ સંભળાય છે.
તે મૃમશરીરની આસપાસ, જેટલી વ્યક્તિ રહેલી હશે…
અને,
તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે…

  • એ બધું જ તે આત્માને સંભળાય છે.

■ એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે…
પરંતુ કોઈને સંભળાતુ નથી.

■ ધીરે ધીરે આત્માને સમજાય છે કે –
તેનું મૃત્યુ થયું છે.

■ તે આત્મા –
શરીરથી ૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે…
અને,
તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે…

  • તે જોવાય તથા સંભળાય છે.

■ સામાન્ય રીતે –
જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય…
ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે.

■ હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે –

જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રામાં સામેલ થયા હો,
તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે…
અને,
દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે…
તેનો એ આત્મા ‘સાક્ષી’ બને છે.

■ જ્યારે સ્મશાનમાં –
તે આત્મા પોતાના શરીરને ‘પંચમહાભૂત’ માં વિલીન થતાં જોય છે…
ત્યારબાદ –
તેને ‘મુક્ત’ થયાનો અહેસાસ થાય છે.

■ આ ઉપરાંત –
તેને સમજાય છે કે –
માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જઈ શકે છે.

■ પહેલાં સાત દિવસ સુધી –
એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે.
જો, એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે…
તો –
તે સંતાનના રૂમમાં રહેશે !

જો,
એમનો જીવ રુપિયામાં હશે તો –
તેના કબાટ નજીક રહેશે !

■ સાત દિવસ પછી –
તે આત્મા તેના કુટુંબને વિદાય લઈ,
પૃથ્વીની બહાર ના આવરણ તરફ પ્રયાણ કરે છે…
જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે.

■ આ મૃત્યુલોક માંથી પરલોકમાં જવા માટે –
એક ટનલ માંથી પસાર થવું પડે છે.

આજ કારણસર કહેવાય છે કે –
મૃત્યુ પછીના ૧૨ દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે.

■ મૃતકના સગાં સંબંધીઓએ તેની પાછળ જે કાંઇ ૧૨માં અથવા ૧૩માંની શાસ્ત્રોક્ત વિધિ, પીંડદાન તથા ક્ષમા-પ્રાર્થના કરવાની અત્યંત જરૂરી છે.

જેથી –
તે આત્મા, કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા, રાગ, દ્વેષ, વગેરે પોતાની સાથે ન લઈ જાય.

■ તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ હશે…
તો,
તેમની ઉર્ધ્વગતિ માં મદદરૂપ થશે.

મૃત્યુલોક થી શરૂ થતી ટનલના અંતે –
દિવ્ય-તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે.

  • પૂર્વજો સાથે મિલન :

■ જ્યારે ૧૧માં, ૧૨માં ની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે…
ત્યારે –
તે આત્મા તેના પિતૃઓને, સ્વર્ગવાસી મિત્રોને તથા સ્વર્ગસ્થ સગાઓને મળે છે.

આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય…
ત્યારે,
કેવી રીતે ગળે મળીએ છીએ…
તેવું જ અહીં મિલન થાય છે.

■ ત્યારબાદ –
જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે.
તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.

  • મૃત્યુલોક ના જીવનની સમીક્ષા :

■ અહીં કોઈ ન્યાયકર્તા કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી.

■ જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણ માં –
પોતાના પૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે.
જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય…
એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે.

■ ગત્- જીવનમાં –
જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી…
તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે.

■ પોતે કરેલ ખરાબ કર્મો માટે –
અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે…
અને,
તે બદલ પશ્ચાતાપ રુપે હવે પછીના જન્મમાં શિક્ષા ભોગવાનુ માગી શકે છે.

અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકાર થી મુક્ત છે.

■ આજ કારણસર –
દેવલોકમાં સ્વીકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે.

ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે…
તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો-કરાર (બ્લુ-પ્રીન્ટ) બનાવે છે.

■ આ કરારમાં –
જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે.

■ હકીકતમાં –
જીવ પોતેજ ઝીણા માં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા – નરસા અનુભવો, વગેરે…
આ જીવાત્મા પહેલાંથી જ નક્કી કરે છે.

■ દાખલા તરીકે –
કોઈ જીવ જુએ છે કે –
પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશી ને માથામાં પથ્થર મારીને હત્યા કરી હતી…

આ ઘટના ના પશ્ચાતાપ રુપે –
તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવાનું નક્કી કરે છે.

તેના ભાગરુપે તે આખી જીંદગી માથાનો અસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે –
જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.

  • આગલા જીવનનો કરાર (બ્લુ-પ્રીન્ટ) :

■ દરેક જીવ –
તેના નવા જીવનનો જે કરાર કરે છે,
તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવને આધારીત જ હોય છે.

જો જીવનો સ્વભાવ વેરઝેર યુક્ત હોય તો –
તેનામાં બદલાની ભાવના પ્રબળ હશે.

જેટલી તીવ્રતાની ભાવના હશે…
તે પ્રમાણે ભોગવવું પડશે.

■ આજ કારણસર –
દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે…
અથવા,
આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે…

નહીં તો –
વેરભાવ ચૂકવવા માટે –
જન્મો જન્મની ‘પીડા’ ભોગવવી પડશે.

■ એકવાર –
જીવ પોતાના આગામી જન્મના કરારની બ્લુ-પ્રીન્ટ નક્કી કરે છે…
ત્યારબાદ –
વિશ્રાંતિ નો સમય હોય છે.

■ દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર…
આગલા જન્મ વચ્ચેનો વિશ્રાતિ સમય નક્કી થાય છે.

  • પૂનઃજન્મ :-

■ દરેક જીવ –
પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે…
પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લેય છે.

■ દરેક જીવને –
પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે.

તે ઉપરાંત –
જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે.

જીવ અંડકોષ ના મિલન દરમ્યાન –
૪થા- ૫માં મહીને…
અથવા,
પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે.

■ આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે –
જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો –
એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય…
તેની જ બ્લુ-પ્રીન્ટ નીકળશે.

■ દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી –
પોતાનો પાછલો જન્મ યાદ રહે છે.

ત્યારબાદ –
પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે…
અને,
જીવ એ રીતે વર્તન કરે છે કે –
જાણે તે અગાઉ અસ્તિત્વ માં જ ન હતો.

■ દરેક જીવ –
દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મૃત્યુલોકમાં જન્મે છે…
તે કરાર જ ભૂલી જાય છે.
અને,
પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ –
ગ્રહો તથા ભગવાન ને આપે છે.

■ આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે –
આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ (સારી અથવા વિષમ),
તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલ છે.

■ આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ, માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરેની પસંદગી પણ આપણે જ કરેલ છે.

■ આપણા જીવન રુપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ.

■ એક વાત ધ્યાનમાં રાખો –
આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે…
જે રોલ આપણે લખ્યો છે.

તો પછી –
આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ ?

  • શું મૃત્યુ બાદ –
    સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે ?

■ મૃત્યુ બાદ આપણાં સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.

ગતિ એટલે આત્મા એ મૃત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.
જો ગતિ ન થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે.

■ ઘણી વાર એવું પણ બને છે કે –
જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય,

જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય,

અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય,

આપઘાત કર્યો હોય,

કોઈ નજીક ની વ્યક્તિ માં જીવ રહી ગયો હોય
અથવા,
જીવાત્મા ની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય
અથવા
આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે…

આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે.

■ પરંતુ મૃત્યુ બાદ –
દરેક જીવાત્માએ ૧૨ દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે…
ત્યારબાદ –
તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે
અને,
તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી.

અને,
પૃથ્વી ઉપર ‘પ્રેત-યોની’ માં અધવચ્ચે રહી જાય છે.

■ આમ –
તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો..
કે,
નથી ભોગવવા માટે શરીર મળી શકતું.

આજ કારણસર –
જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ, ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે –
જેથી
સદ્ગગત્ આત્માની ‘ગતિ’ થાય.

■ અત્યાર ના સમયમાં –
નવી પેઢીને આ બધા રીતીરિવાજો, માન્યતાઓ જૂનવાણી લાગે છે
અને,
પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી.

આને લીધે –
ઘણાં જીવાત્માઓ અહીં પૃથ્વીલોકમાં અટકી ગયા છે…
અને,
તેઓની ગતિ થતી નથી.

■ દરેક પરિવારે તેમના સ્વજનો ના સદ્ગગત આત્માની ગતિ માટે –
કરવામાં આવતી ક્રિયા વિધિની કદી ઉપેક્ષા કરવી નહીં.
*■ જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે,
તેમણે કદી દુઃખી થવું નહીં.
કેમ કે –
આત્માનુ કદી મૃત્યુ નથી થતું….
સમય આવતાં આપણે સ્વજનોને મળવાનાં જ છીએ. – લેખ સૌજન્ય : ‘ગરુડ પૂરાણ’

Posted in jambuda | Tagged , | Leave a comment

Special recipes for young children (Eliminates constipation and stomach ache)


Nowadays, not only older people but also younger children suffer from constipation. If the breastfeeding mother does not pay attention to the food, the newborn baby also suffers from constipation. Apart from this, nowadays young children are eating more fast food, junk food and outside food. Which has also increased the problem of constipation in children. Abdominal pain also increases when constipation occurs in young children. However, by paying attention at the beginning, if some tips are adopted, this problem can be overcome. So let’s find out.
Special recipes for young children
Eliminates constipation and stomach ache
Try this best remedy at home
Orange juice
First of all let us tell you about a very simple solution. You can use orange juice and water to get rid of constipation in children. For that by mixing half a cup of water in 1 cup of orange juice
Feed the baby 2 times a day. Constipation will be relieved till evening. Do not give to a child younger than 6 months without doctor’s advice.
Raisins
Raisins are also very beneficial in relieving constipation. If the child has constipation, soak 3-4 raisins in water. Then squeeze the juice and give it to the baby. The baby will get better in a few hours.
Ginger paste

Adopt this remedy for children above five years. Because the effect of ginger is hot. Which can harm young children. If children above the age of five have constipation, they should extract the juice of mulathi and ginger in proportion and mix it with honey and give half a teaspoon. Do this remedy 3 times a day.
Shake with baking soda

This remedy can be adopted in children of all ages. For this, mix 1 teaspoon of baking soda in 1 glass of warm water and mix it. Then soak a handkerchief in it and shake it on your stomach. Shake for about 15 minutes. Doing so will relieve the child of both constipation and abdominal pain.

Posted in jambuda | Leave a comment

ઓખાહરણ સંપૂર્ણ


કોરોના કાળ માં ઘરે બેઠા સાંભળો સંપૂર્ણ ઓખાહરણ . સાંભળો સંભળાવો અને શેર કરો મિત્રો ને પણ સંભળાવો .અહીં લિંક આપેલ છે ,

#okhaharan #okha #premanand #jivanjyot Mother Parvati’s curse and blessing, dream of marriage with Aniruddha in Okha, picture of Aniruddha through Chitralekha, #ઓખાહરણ. #ઓખાહરણકથા​ ઓખાહરણ ભાગ 1 :https://youtu.be/kVicPaSIWtg ઓખાહરણ ભાગ 2 : https://youtu.be/p9D4mx4L4es ઓખાહરણ ભાગ 3 : https://youtu.be/gx1gjtJG68Q ઓખાહરણ ભાગ 4 : https://youtu.be/MRR-oZv7lac ઓખાહરણ ભાગ 5: .https://youtu.be/2xc-idSQ6ck ઓખાહરણ ભાગ 6 : https://youtu.be/Jg5s_Bacaak ઓખાહરણ ભાગ 7: https://youtu.be/k30eANwi58Q ઓખાહરણ ભાગ 8 : https://youtu.be/II7P-q0JDaA okhaharan,કડવું ૧ લુ, okha haran story, okhaharan, okha, okha haran katha, ઓખાહરણ, ઓખાહરણ ની વાર્તા, ઓખાહરણ ગુજરાતી ફિલ્મ, ઓખાહરણ નું આખ્યાન, ઓખાહરણની કથા, ઓખાહરણ વાર્તા, ઓખાહરણ ની વાર્તા, ઓખાહરણ પ્રેમાનંદ, ઓખાહરણ pdf, ઓખાહરણ આખ્યાન , ઓખાહરણ ની વાર્તા, ઓખાહરણ પ્રેમાનંદ, ઓખાહરણ નો પહેલો ભાગ, ઓખાહરણ વાર્તા, ઓખાહરણ ભાગ 1, ઓખાહરણ ભાગ 3, ઓખાહરણ સંભળાવો, ઓખાહરણ ભાગ પહેલો, ઓખાહરણ mp3, ઓખાહરણ આખ્યાન,, ઓખાહરણ ની વાર્તા, ઓખાહરણ ગુજરાતી ફિલ્મ. ઓખાહરણ નું આખ્યાન, ઓખાહરણની કથા, સાથે ઓખાહરણ, ઓખાહરણ વાર્તા, okha haran part 1, okha haran gujarati movie, okha haran bhag 1, okha haran story in gujarati, okha haran katha, okha haran akhiyan, okha haran story, okha haran song, okha haran story in hindi, ઓખાહરણ જે સાંભળે ચેત્ર માસ , તાવ ટોળી ત્યાં નાં આપે ત્રાસ . શુકદેવજી કહે સુણો પરીક્ષિત રાય , ઓખાહરણ નો અતિ મહિમાય આ હરિહર કથા અતિ પાવન ,તાવ ટોળી થાય ત્યાંથી પલાયન . શિવજી એ દીધું બાણાસુર ને જ્ઞાન , મદ,મત્સર છોડવા કીધું ભાન શિવ શરણ બાણાસુર જાય , અહંકાર થી છૂટો થાય . બ્રહ્માજીહરિહર મિલન થાય . દત્તલીલાં જોઈ સહુ હરખાય . કૃષ્ણ એ ચક્ર પાછું વાળ્યું , ધરતી પર શુભ શુભ સર્જાયું . બ્રહ્માહરિહર લીલાં જોઈ , બાણાસુર ની મતિ બદલાઈ . ઓખાનું કરવા કન્યાદાન ,બાણાસુર તેડાવે જ્દુરાય ની જાન . દ્વારિકાથી તેડાવી સહુ નાર ,ગરુડે ચડી આવી સહુ જાદવ નાર . માનુની મંગલ ગીતો ગાય , ઓખાઅનિરુધ્ધ લગ્ન લેવાય . અનિરુધ્ધહરણ કરનારી ચિત્રલેહા માત , ઓખાહરણ કરાવે સાક્ષાત . દ્વારિકા જઈ શ્રી કૃષ્ણ ભગવાન , આપે ઓખાને દૈવી વરદાન . પાવન થયો અસુર બાણાસુર ,આપીયો પુત્ર ગયાસુર. શુકદેવજી ને કથા સુણી , પાવન થાય પાંડવપુત્ર પરીક્ષિત . પ્રેમાનંદ પાવન કરે , ઓખાહરણ નો વિસ્તાર કરી . ચૈત્ર માસે મીનારક માંહ્ય , સાંભળે ,ગાયે જે ઓખાહરણ . માં વિધાતા તેને દ્વારે જાય , ચૈત્ર અમાસે સહના ભાગ્ય બદલાય . વિનવું ગણપતિ નવદુર્ગામાય , પૂરી કરજો અમ મન ની ઈચ્છાય . આરાધું ઇષ્ટ ગુરુવર્ય કરજોડ પરિચય મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આથી આ રચના પદ્ય રચના હોય છે. દરેક કડવું (પ્રકરણ) ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. okha haran,okha haran part 1,ચૌત્ર મહિના માં સાંભળવામાં આવતી ઓખા હરણ ની કથા,okhaharan in gujarati,okhaharan story in gujarati,okhaharan in gujarati full,okhaharan in gujarati video,okhaharan in gujarati pdf,okhaharan in gujarati story,okha JIVAN JYOT #JIVANJYOT #JIVAN_JYOT #JEEVAN_JYOT जिवन ज्याेत ,JIVAN JOT , jivanjot, जिवनज्याेत, ज्याेत LIKE | COMMENT | SHARE | SUBSCRIBE

Posted in jambuda | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

महाराजा जनक के गुरु अष्टावक्र जी.


जनक के गुरु अष्टावक्र जी एक सम्पूर्ण प्रस्तुति!!!!!!!!!अष्टावक्र आठ अंगों से टेढ़े-मेढ़े पैदा होने वाले ऋषि थे। शरीर से जितने विचित्र थे, ज्ञान से उतने ही विलक्षण। उनके पिता कहोड़ ऋषि थे जो उछालक के शिष्य थे और उनके दामाद भी। कहोड़ अपनी पत्नी सुजाता के साथ उछालक के ही आश्रम में रहते थे। ऋषि कहोड़ वेदपाठी पण्डित थे। वे रोज रातभर बैठ कर वेद पाठ किया करते थे। उनकी पत्नी सुजाता गर्भवती हुई। गर्भ से बालक जब कुछ बड़ा हुआ तो एक रात को गर्भ के भीतर से ही बोला, हे पिता ! आप रात भर वेद पढ़ते रहते हैं। लेकिन आपका उच्चारण कभी शुद्ध नहीं होता। मैंने गर्भ में ही आपके प्रसाद से वेदों के सभी अंगों का ज्ञान प्राप्त कर लिया।’’ गर्भस्थ बालक ने यह भी कहा कि रोज-रोज के पाठ मात्र से क्या लाभ। वे तो शब्द मात्र हैं। शब्दों में ज्ञान कहाँ ? ज्ञान स्वयं में है। शब्दों में सत्य कहाँ ? सत्य स्वयं में है।ऋषि कहोड़ के पास अन्य ऋषि भी बैठे थे। अजन्मे गर्भस्थ बालक की इस तरह की बात सुनकर उन्होंने अत्यन्त अपमानित महसूस किया। बेटा अभी पैदा भी नहीं हुआ और इस तरह की बात कहे। वेद पण्डित पिता का अहंकार चोट खा गया था। वे क्रोध से आग बबूला हो गये। क्रोध में पिता ने बेटे को अभिशाप दे दिया। ‘‘हे बालक ! तुम गर्भ में रहकर ही मुझसे इस तरह का वक्र वार्तालाप कर रहे हो। मैं तुम्हें शाप देता हूँ कि कि तुम आठ स्थानों से वक्र होकर अपनी माता के गर्भ से उत्पन्न होगे।’’ कुछ दिनों पश्चात् बालक का जन्म हुआ। शाप के अनुसार वह आठ स्थानों पर से ही वक्र था। आठ जगह से कुबड़े, ऊँट की भाँति इरछे-तिरछे। इसलिए उसका नाम अष्टावक्र पड़ा।अष्टावक्र के जन्म के पूर्व ही पिता ऋषि कहोड़ धन अर्जन की आवश्यकतावश राजा जनक के वहाँ गये जहाँ शास्त्रार्थ का आयोजन था। एक हजार गाएँ राजमहल के द्वार पर खड़ी की गई थीं। उन गायों के सींगों पर सोना मढ़ दिया गया था। उनके गलों में हीरे-जवाहरात लटका दिये गये थे। शास्त्रार्थ की शर्त यह थी कि जो विजेता होगा वह इन गायों को हाँक ले जाएगा। तथा विजेता हारने वाले का किसी भी तरह से वध कर सकेगा। शास्त्रार्थ राज्य के महापण्डित वंदिन से करना होता था। कहते हैं शास्त्रार्थ में ऋषि कहोड़ हार गये। इसलिए विजेता पण्डित वंदिन ने उन्हें पानी में डुबाकर मरवा डाला।जब काफी दिनों कर ऋषि कहोड़ आश्रम में लौटकर नहीं आये तो उछालक ने उनकी खोज कराई। उनके शिष्य द्वारा ज्ञात हुआ कि कहोड़ को शास्त्रार्थ में पराजित होने के फलस्वरूप वंदिन ने मरवा डाला है। इस तथ्य को बालक अष्टावक्र से छुपा कर रखा गया था। बालक अष्टावक्र अपने नाना उछालक को ही अपना पिता जानता था। बारह वर्ष बीत गये। अष्टावक्र तो गर्भ में ही महान पण्डित और ज्ञानी हो चुका था। इसके साथ ही उसने अपने नाना उछालक के आश्रम में बारह वर्ष तक और अध्ययन किया। तब तो वह ब्रह्मा के समान मेधावी हो चुका था। तभी एक दिन अचानक उसे अपने पिता के बारे में वास्तविक तथ्य की जानकारी हुई। उसने अपनी माता से इस सम्बन्ध में पूछा। तब उसकी माँ ने सारा वृत्तान्त कह सुनाया। बालक अष्टावक्र को बड़ा आघात लगा। उसने उसी समय माँ से कहा ‘‘माँ मुझे आज्ञा दो, मैं अभी जाकर उस दुष्ट को परास्त करता हूँ तब मैं अपने पिता का बदला अच्छी तरह से लूँगा।’’माँ ने बालक को बहुत मनाया कि यह इसके लिए घातक होगा। वह अभी बालक है। लेकिन अष्टावक्र नहीं माने। वह अपने मामा श्वेतकेतु को साथ लेकर राजा जनक के नगर की ओर चल पड़ा। उस समय जनक के वहाँ महायज्ञ हो रहा था। उसमें भाग लेने के लिए देश भर से अनेक पण्डित बुलाए गए थे। अष्टावक्र सीधे राजप्रसाद की ओर पहुँच गए। लेकिन द्वारपाल ने अन्दर जाने से रोक दिया। उसने कहा कि वृद्ध और चतुर ब्राह्मण ही यज्ञ में जाने के अधिकारी हैं। बालकों को इसके अन्दर जाने का अधिकार नहीं है। अष्टावक्र ने अनेक प्रकार से द्वारपाल से वाद-विवाद किया। अन्त में उन्होंने कहा ‘‘द्वारपाल ! सिर के बाल सफेद होने से कोई मनुष्य वृद्ध नहीं हो जाता। जो व्यक्ति बालक होकर भी ज्ञानी है उसे ही देवताओं ने स्थविर कहा है। अगर ऋषियों के द्वारा स्थापित धर्म के अनुसार विचार करो तो अवस्था से, बाल पकने से, धन से या बन्धुओं के अधिक होने से मनुष्य को कोई महत्त्व नहीं मिलता है। सांगोपांग वेद को जानने वाले विद्वान् ही महत् और वृद्ध हैं। हम तुम्हारे महापण्डित वंदिन को देखने आए हैं। हम उस वंदिन को शास्त्रार्थ में परास्त करके विद्वानों को चकित कर देंगे। तब तुम्हें हमारी मेधा के बारे में मालूम होगा’’ तब कहीं द्वारपाल ने अष्टावक्र को अन्दर जाने दिया।अष्टावक्र दरबार में भीतर चले गये। महापण्डित भीतर इकट्ठे थे। पण्डितों ने उसे देखा। उसका आठ भागों से टेढ़ा-मेढ़ा शरीर। वह चलता तो भी लोगों को देखकर हँसी आ जाती। उनका चलना भी बड़ा हास्यपद था। सारी सभा अष्टावक्र को देखकर हँसने लगी। अष्टावक्र भी खिलखिलाकर हँसा। जनक को विचित्र लगा। उन्होंने पूछा, और सब हँसते हैं, वह तो मैं समझ गया कि क्यों हँसते हैं। परंतु बालक तुम क्यों हँसे ?बारह वर्ष के बालक अष्टावक्र ने कहा ‘‘मैं इसलिए हँस रहा हूँ कि चमड़े के पारखियों (मूर्खों) की सभा में सत्य का निर्णय हो रहा है। यह सभी सुनकर सन्न रह गये। सभा में सन्नाटा छा गया। महापण्डितों की जमात तिलमिला उठी। सम्राट् जनक ने धैर्य पूर्वक पूछा ‘‘धृष्ट बालक! तुम्हारा मतलब क्या है ?’’ अष्टावक्र जरा भी विचलित नहीं हुआ। उसने जवाब दिया ‘‘बड़ी सीधी-सी बात है। इनको चमड़ी ही दिखाई पड़ती है। मैं नहीं दिखाई पड़ता। इनको आड़ा-टेढ़ा शरीर दिखाई पड़ता है। ये चमड़ी के पारखी हैं। इसलिए ये चमार हैं। राजन् ! मन्दिर के टेढ़े होने से कहीं आकाश टेढ़ा होता है ? घड़े के फूटे होने से कहीं आकाश फूटता है ? आकाश तो निर्विकार है। मेरा शरीर टेढ़ा-मेढ़ा है, लेकिन मैं तो नहीं। यह जो भीतर बसा है इसकी तरफ देखो।’’ बालक के मुख से ज्ञानपूर्ण उपहास सुनकर सभी पण्डित हतप्रभ और लज्जित रह गये। उन्हें अपने अहंकार और मूर्खता पर अत्यन्त पश्चाताप हुआ।अष्टावक्र ने राजा जनक से कहा—हे राजन् ! अब मैं आपके उस मेघावी राजपण्डित से मिलना चाहता हूँ, जो पण्डितों के बीच में भय बना हुआ है। उसी से शास्त्रार्थ करने की इच्छा से मैं यहाँ आया हूँ। मैं अद्वैत ब्रह्मवाद के विषय में उससे वार्ता करूँगा। राजा जनक ने कई तरह से उसे विचलित करने के लिए डराया और समझाया। शास्त्रार्थ के विचार को त्याग देने के लिए कहा लेकिन अष्टावक्र अडिग रहा और स्वर कठोर करके कहा—‘‘हे राजन् ! बालक कहकर आप मुझे हीन क्यों कहते हैं ? मेरा आग्रह है कि आप वंदिन को शास्त्रार्थ के लिए बुलाइए फिर आप देखेंगे कि मैं उसको किस प्रकार परास्त करता हूँ।’’ राजा को विश्वास होने लगा कि यह बालक असाधारण है। उन्होंने परीक्षा के लिए कुछ प्रश्न किये।जनक ने पूछा—हे ब्राह्मणपुत्र ! जो मनुष्य तीस अंग वाले, बारह अंश वाले, चौबीस पर्व वाले, तीन सौ साठ आरे वाले पदार्थ के अर्थ को जानता है वही सबसे बड़ा पण्डित है।’’ अष्टावक्र ने तुरन्त उत्तर दिया, ‘‘हे राजन् ! चौबीस पर्व छः नाभि, बारह प्रधि और तीन सौ साठ आरे वाला वही शीघ्रगामी कालचक्र आपकी रक्षा करे।’’राजा जनक ने फिर कहा, ‘‘जो दो वस्तुएँ अश्विनी के समान से संयुक्त और बाज पक्षी के समान टूट पड़ने वाली हैं उनका देवताओं में से कौन देवता गर्भाधान कराता है ? वे वस्तुएँ क्या उत्पन्न करती हैं?’’अष्टावक्र ने कहा ‘‘ हे राजन् ! ऐसी अशुभ वस्तुओं की आप कल्पना भी न करें। वायु उनका सारथी है, मेघ उनका जन्मदाता है। फिर वे भी मेघ को उत्पन्न करती हैं।’’राजा जनक ने पूछा, ‘‘सोते समय आँख कौन नहीं मूँदता ? जन्म लेकर कौन नहीं हिलता ? हृदय किसके नहीं है ? और कौन सी वस्तु वेग के साथ बढ़ती है ?’’अष्टावक्र ने कहा, ‘‘मछली सोते समय अपनी आँख नहीं मूँदती। अण्डा उत्पन्न होकर नहीं हिलता। पत्थर के हृदय नहीं होता। नदी वेग से बढ़ती है।’’अष्टावक्र के वचनों को सुनकर राजा जनक प्रसन्न हो गये। उन्होंने उस ब्राह्मण बालक के हाथ जोड़कर कहा—‘‘हे ब्राह्मणपुत्र ! आपकी जैसी अवस्था है वैसे आप बालक नहीं हैं। ज्ञान में आप निश्चित ही वृद्ध हैं। मुझे आपकी मेधा पर निश्चित ही विश्वास हो गया है। आप जाइए, इस मण्डप के भीतर महापण्डित वंदिन बैठे हैं। उनके सामने बैठकर शास्त्रार्थ प्रारम्भ कीजिये।’’अष्टावक्र ने अन्दर पहुँचकर वंदिन को शास्त्रार्थ के लिये ललकारा। वंदिन देखकर चौंक पड़ा। बिना उत्तर दिये उसकी नादानी पर हँसा। अष्टावक्र ने कहा—हे महाभिमानी पण्डित वंदिन। कायरों की भाँति चुप क्यों बैठा है। आ मेरे सामने शास्त्रार्थ कर।’’वंदिन ने अपमानपूर्ण वाणी सुनकर आवेश में प्रश्न प्रारम्भ किये। उसने कहा, ‘‘एक अग्नि कई प्रकार से प्रज्वलित की जाती है। सूर्य एक होकर भी सम्पूर्ण जगत को प्रकाशित करता है। एक वीर इन्द्र सब शत्रुओं का नाश करता है और यमराज सब पितरों के स्वामी हैं।’’अष्टावक्र ने कहा—‘‘इन्द्र और अग्नि दोनों सखा के रूप में साथ-साथ विचरते हैं। नारद और पर्वत दोनों देवर्षि हैं। अश्विनीकुमार दो हैं। रथ के पहिये दो होते हैं ! और विधाता के विधान के अनुसार स्त्री और पति दो व्यक्ति होते हैं। फिर वंदिन बोला—‘‘कर्म से तीन प्रकार के जन्म होते हैं। तीन वेद मिलकर वाजपेय यज्ञ को सम्पन्न करते हैं। अव्वर्यु गण तीन प्रकार के स्नानों की विधि बताते हैं। लोक तीन प्रकार के हैं और लोक तीन प्रकार के हैं और ज्योंति के भी तीन भेद कहे गये हैं।’’अष्टावक्र ने उत्तर दिया—‘‘ब्राह्मणों के आश्रम चार प्रकार के हैं। चार वर्ण यज्ञ को सम्पन्न करते हैं। दिशाएँ चार हैं। वर्ण चार प्रकार के हैं। और गाय के चार पैर होते हैं।’’वंदिन ने कहा, ‘‘अग्नि पाँच हैं। पंक्ति द्वंद्व में पाँच चरण होते हैं। यज्ञ पाँच प्रकार के हैं। वेद में चैत्नय प्रमाण विकल्प, विपर्यय, निद्र और स्मृति ये पाँच प्रकार की वृत्तियाँ कही गई हैं। और पंचनद देश सर्वत्र पवित्र कहा गया है।’’ फिर अष्टावक्र ने कहा- ‘‘अग्न्याधान की दक्षिणा में छः गोदान की विधि है। ऋतुएँ छः हैं। इन्द्रियाँ छः हैं और सारे वेद में छः साद्यस्क यज्ञ की विधि का वर्णन है।’’वंदिन बोला,‘‘ ग्राम्य पशु सात प्रकार के होते हैं। वन के पशु भी सात प्रकार के होते हैं। सात छन्दों से एक यज्ञ सम्पन्न होता है। ऋषि सात हैं। पूजनीय सात हैं और वीणा का नाम सप्ततंत्री है।’’अष्टावक्र ने कहा—‘‘ आठ गोपों का एक शतमान होता है। सिंह को मारने वाले शरभ के आठ पैर होते हैं। देवताओं में आठ वसु हैं। और सभी यज्ञों में आठ पहर का यूप होता है।’’वंदिन ने उत्तर दिया, ‘‘पितृ यज्ञ में नौ समधेनी होती है। नौ भागों से सृष्टि क्रिया होती है। बृहती छंद के चरण में नौ अक्षर होते हैं। और गणित के अंक नौ हैं।’’अष्टावक्र ने कहा, ‘‘दिशाएँ दस हैं। दस सैकड़ों का एक हजार होता है। स्त्रियों का गर्भ दस महीने में पूर्णावस्था को पहुँचता है। तत्व के उपदेसक दस हैं। अधिकारी दस हैं। और द्वेष करने वाले भी दस हैं।वंदिन बोला—‘‘इंद्रियों के विषय ग्यारह प्रकार के होते हैं। ग्यारह विषय ही जीव रूपी पशु के बन्धन स्तम्भ हैं। प्राणियों के विकार ग्यारह प्रकार के हैं। और रुद्र ग्यारह प्रसिद्ध हैं।’’अष्टावक्र ने उत्तर दिया—‘‘वर्ष बारह महीने में पूर्ण होता है। जगती द्वंद्व के बारह अक्षर होते हैं। बारह दिनों में प्राकृत यज्ञ पूरा होता है। और आदित्य सर्वत्र विख्यात है।’’फिर वंदिन बोला—‘‘त्रयोदशी तिथि पुण्यतिथि कहीं गयी है। पृथ्वी के तेरह द्वीप हैं।’’ बस इतना कहकर वंदिन चुप पड़ गया।उसको आगे बोलते न देख अष्टावक्र ने विषय की पूर्ति करते हुए कहा—आत्मा के भोग तेरह प्रकार के हैं। और बुद्धि आदि तेरह उसकी रुकावटें हैं।बस इतना सुनते ही वंदिन ने अपना सिर झुका लिया। दूसरे ही क्षण सभा में कोलाहल मच गया। सभी अष्टावक्र की जय-जयकार करने लगे। आज महात्मा कहोड़ की आत्मा किसी अज्ञात लोक से अपने पुत्र अष्टावक्र को कितना आशीर्वाद दे रही होगी। सभी उपस्थित ब्राह्मण हाथ जोड़कर अष्टावक्र की वंदना करने लगे।तब अष्टावक्र ने कहा ‘‘हे ब्राह्मणों ! मैंने इस अहंकारी वंदिन को आज परास्त कर दिया है। इस अत्याचारी ने कितने ही पुण्यात्मा ब्राह्मणों को पराजित करके पानी में डुबवा दिया है। इसलिए मैं भी आज्ञा देता हूँ कि इस पराजित वंदिन को उसी तरह पानी में डुबा दिया जाय।’’अष्टावक्र राजा जनक की आज्ञा की प्रतीक्षा करने लगा। राजा स्तब्ध बैठे थे। अष्टावक्र क्रुद्ध होने लगा और कहा कि आप डुबाए जाने की आज्ञा क्यों नहीं देते। इस तरह चुप बैठे रहना मेरा अपमान है।राजा जनक ने अत्यन्त विनीत स्वर में कहा ‘‘हे ब्राह्मण ! आप साक्षात् ब्रह्मा हैं। इसलिए मैं आपके इस कठोर स्वर को भी सुन रहा हूँ। आपने वंदिन को जिस प्रकार की आज्ञा दी है उसका मैं समर्थन करता हूँ।’’वंदिन ने आज्ञा स्वीकार करते हुए कहा इससे मेरा उपकार होगा। मुझे अपने पिता वरुण का दर्शन होगा। अष्टावक्र की ओर मुड़कर वंदिन ने कहा, ‘‘हे ऋषि अष्टावक्र ! आप महान हैं। सूर्य के समान दीप्यमान आपकी मेधा है। और अग्नि के समान आपका तेज है। मैं चलते समय आपको वरदान देता हूँ कि आप इसी क्षण अपने स्वर्गीय पिता कहोड़ को फिर से जीवित अवस्था में पाएँगे। उनके साथ अन्य ब्राह्मण भी जल से निकल आयेंगे।’’उसी क्षण अन्य ब्राह्मणों के साथ कहोड़ जल से बाहर निकल आये। उन्होंने राजा जनक की वंदना की। राजा ने प्रसन्न होकर अनेकों बहुमूल्य उपहार देकर उन्हें विदा किया। कहोड़, अष्टावक्र और श्वेतकेतु के साथ उद्यालक आश्रम में वापस आये। कहोड़ ने पत्नी सुजाता और अष्टावक्र को समंगा नदी में स्नान करने के लिए कहा। अष्टावक्र ने जाकर उस नदी में स्नान किया। उसी क्षण उसका कुबड़ापन दूर हो गया। वह सुन्दर शरीर वाले युवक की तरह जल से बाहर निकला।राजा जनक अष्टावक्र के ज्ञान से अत्यन्त प्रभावित हुए थे। उन्हें अपनी पूर्व धारणा पर पश्चाताप था। अष्टावक्र की बातों ने उन्हें झकझोर दिया था। दूसरे दिन जब सम्राट् घूमने निकले तो उन्हें अष्टावक्र राह में दिख गये। उतर पड़े घोड़े से और अष्टावक्र को साष्टांग प्रणाम् किया।उन्होंने निवेदन किया, महापुरुष ! राजमहल में पधारें। कृपया मेरी जिज्ञासाओं का समाधान करें।राजमहल विशेष अतिथि के सत्कार के लिये सजाया गया। बारह वर्ष के अष्टावक्र को उच्च सिंहासन पर बैठाया गया। उससे जनक ने अपनी जिज्ञासाएँ बतायीं। जनक की जिज्ञासा पर ज्ञान का संवाद प्रवाहित हो चला। जनक अपनी जिज्ञासा प्रस्तुत करते। अष्टावक्र उनको समझाते। जनक की जिज्ञासाओं के समाधान में अष्टावक्र अपना ज्ञान उड़ेलते गये। ज्ञान की गंगा बह चली। जनक अष्टावक्र का संवाद 298 सूत्र-श्लोकों में निबद्ध हुआ है। इस प्रकार अष्टावक्र गीता की रचना हुई। अध्यात्म ज्ञान का अनुपम शास्त्र ग्रंथ रचा गया। इसमें 82 सूत्र जनक द्वरा कहे गये हैं और शेष 216 अष्टावक्र के मुख से प्रस्फुटित हुए हैं।यह ग्रंथ अष्टावक्र संहिता के नाम से भी जाना जाता है।संवाद का प्रारम्भ जनक की जिज्ञासा से हुआ है। सचेतन पुरुष की अपने को जानने की शाश्वत जिज्ञासा। वही तीन मूल प्रश्न कि-पुरुष को ज्ञान कैसे प्राप्त होता है ?मुक्ति कैसे होगी ?वैराग्य कैसे प्राप्त होगा ?तीन बीज प्रश्न हैं ये।इन्हीं में से और प्रश्न निकलते हैं। इन प्रश्नों के उत्तर आकार फिर इन्हीं प्रश्नों में विलीन हो जाते हैं।इन प्रश्नों के संधान में खोजियों के खोज के अनुभव का ज्ञान अपार भण्डार सृजित हुआ है। अनेकानेक पथ और पंथ बन गये। भारत में अध्यात्म आत्मन्वेषण की परम्परा प्राचीनकाल से सतत सजीव है।इन प्रश्नों के जो समाधान-उपाय ढूँढ़े गये, उन्हें सामान्यतया तीन मुख्य धाराओं में वर्गीकृत किया जाता है। अर्थात् भक्ति मार्ग, कर्ममार्ग और ज्ञानयोग मार्ग।भागवत् गीता जो युद्धक्षेत्र-कर्मक्षेत्र में कृष्ण-अर्जुन का संवाद है, जो हिन्दुओं का शीर्ष ग्रन्थ है, में तीनों मार्गों को समन्वित किया गया है। समन्वयवादी दृष्टिकोण है कृष्ण की गीता का। भक्ति भी, ज्ञान भी, कर्म भी। जिसे जो रुचे चुन ले। इसलिए गीता की सहस्त्रों टीकाएँ हैं, अनेकानेक भाष्य हैं। सबने अपने-अपने दृष्टिकोण का प्रतिपादन गीता के भाष्य में किया है। अपने दृष्टिकोण की पुष्टि गीता से प्रमाणित की है। इसलिए गीता हिन्दुओं का गौरव ग्रंथ है, सर्वमान्य है।परन्तु अष्टावक्र गीता एक निराला, अनूठा ग्रंथ है। सत्य का सपाट, सीधा व्यक्तव्य। सत्य जैसा है वैसा ही बताया गया है। शब्दों में कोई लाग-लपेट नहीं है। इतना सीधा और शुद्धतम व्यक्तव्य कि इसका कोई दूसरा अर्थ हो ही नहीं सकता। इसमें अपने-अपने अर्थ खोजने की गुंजाइश ही नहीं है। जो है, वही है। अन्यथा नहीं कहा जा सकता। इसलिए अष्टावक्र गीता के भाष्य नहीं है, विभिन्न व्याख्याएँ नहीं है।

Posted in jambuda | Tagged , , | Leave a comment

धन्ना भगत की कथा


एक गांव में भागवत कथा का आयोजन किया गया, पंडित जी भागवत कथा सुनाने आए। पूरे सप्ताह कथा वाचन चला। पूर्णाहुति पर दान दक्षिणा की सामग्री इक्ट्ठा कर घोडे पर बैठकर पंडितजी रवाना होने लगे। उसी गांव में एक सीधा-साधा गरीब किसान भी रहता था जिसका नाम था धन्ना जाट। धन्ना जाट ने उनके पांव पकड लिए। वह बोला- “पंडितजी महाराज ! आपने कहा था, कि जो ठाकुरजी की सेवा करता है उसका बेडा पार हो जाता है। आप तो जा रहे है। मेरे पास न तो ठाकुरजी हैं, न ही मैं उनकी सेवा पूजा की विधि जानता हूँ। इसलिए आप मुझे ठाकुरजी देकर पधारें।” पंडित जी ने कहा- “चौधरी ! तुम्हीं ले आना।” धन्ना जाट ने कहा – “मैंने तो कभी ठाकुर जी देखे नहीं, लाऊंगा कैसे ?” पंडित जी को घर जाने की जल्दी थी। उन्होंने पिण्ड छुडाने को अपना भंग घोटने का सिलबट्टा उसे दिया और बोले- “ये ठाकुरजी हैं ! इनकी सेवा पूजा करना।’ धन्ना जाट ने कहा – “महाराज ! में सेवा पूजा का तरीका भी नहीं जानता, आप ही बताएं ? पंडित जी ने कहा – “पहले खुद नहाना फिर ठाकुरजी को नहलाना। इन्हें भोग चढाकर फिर खाना।” इतना कहकर पंडित जी ने घोडे के एड लगाई व चल दिए। धन्ना सीधा एवं सरल आदमी था। पंडितजी के कहे अनुसार सिलबट्टे को बतौर ठाकुरजी अपने घर में स्थापित कर दिया। दूसरे दिन स्वयं स्नान कर सिलबट्टे रूप ठाकुरजी को नहलाया। विधवा मां का बेटा था। खेती भी ज्यादा नहीं थी। इसलिए भोग में अपने हिस्से का बाजरी का टिक्कड एवं मिर्च की चटनी रख दी। ठाकुरजी से धन्ना ने कहा, पहले आप भोग लगाओ फिर मैं खाऊंगा। जब ठाकुरजी ने भोग नहीं लगाया तो बोला- पंडित जी तो धनवान थे। खीर-पूडी एवं मोहन भोग लगाते थे। मैं तो गरीब जाट का बेटा हूं, इसलिए मेरी रोटी-चटनी का भोग आप कैसे लगाएंगे ? पर साफ-साफ सुन लो मेरे पास तो यही भोग है। खीर-पूडी मेरे बस की नहीं है। ठाकुरजी ने भोग नहीं लगाया तो धन्ना भी सारा दिन भूखा रहा। इसी तरह वह रोज का एक बाजरे का ताजा टिक्कड एवं मिर्च की चटनी रख देता एवं भोग लगाने की प्रार्थना करता। ठाकुरजी तो पसीज ही नहीं रहे थे। यह क्रम निरन्तर छह दिन तक चलता रहा। छठे दिन धन्ना बोला-ठाकुरजी, चटनी रोटी खाते क्यों नहीं शर्माते हो ? आप कहो तो मैं आंखें मूंद लूँ फिर खा लो। ठाकुरजी ने फिर भी भोग नहीं लगाया। धन्ना भी भूखा-प्यासा था। सातवें दिन धन्ना जट बुद्धि पर उतर आया। फूट-फूट कर रोने लगा एवं कहने लगा कि, सुना था आप दीन-दयालु हो, पर आप भी गरीब की कहां सुनते हो, मेरा रखा यह टिककड एवं चटनी आकर नहीं खाते हो तो मत खाओ। अब मुझे भी नहीं जीना है, इतना कह उसने सिलबट्टा उठाया और सिर फोडने को तैयार हुआ, अचानक सिलबट्टे से एक प्रकाश पुंज प्रकट हुआ एवं धन्ना का हाथ पकड कहा – ‘देख धन्ना ! मैं तेरा चटनी टिकडा खा रहा हूं।” ठाकुरजी बाजरे का टिक्कड एवं मिर्च की चटनी मजे से खा रहे थे। जब आधा टिक्कड खा लिया, तो धन्ना बोला- “क्या ठाकुरजी ! मेरा पूरा टिक्कड खा जाओगे ? मैं भी छह दिन से भूखा प्यासा हूं। आधा टिक्कड तो मेरे लिए भी रखो।” ठाकुरजी ने कहा – “तुम्हारी चटनी रोटी बडी मीठी लग रही है तू दूसरी खा लेना।” धन्ना ने कहा – “प्रभु ! मां मुझे एक ही रोटी देती है। यदि मैं दूसरी लूंगा तो मां भूखी रह जाएगी।” प्रभु ने कहा- ‘फिर ज्यादा क्यों नहीं बनाता।” धन्ना ने कहा – “खेत छोटा सा है और मैं अकेला।” ठाकुरजी ने कहा – और खेत जोत ले। धन्ना बोला- “प्रभु ! मेरे पास बैल थोडे ही हैं, मैं तो खुद जुतता हूँ।” ठाकुरजी ने कहा – “नौकर रख ले।” धन्ना ने कहा-“प्रभु ! आप तो मेरी मजाक उडा रहे हो। नौकर रखने की हैसियत हो तो दो वक्त रोटी ही न खा लें हम मां-बेटे। इस पर ठाकुरजी ने कहा – चिन्ता मत कर मैं तेरी सहायता करूँगा। कहते है तबसे ठाकुरजी ने धन्ना का साथी बनकर उसकी सहायता करनी शुरू की। धन्ना के साथ खेत में कामकाज कर उसे अच्छी जमीन एवं बैलों की जोडी दिलवा दी। कुछ अर्से बाद घर में गाय भी आ गई। मकान भी पक्का बन गया। सवारी के लिए घोडा आ गया। धन्ना एक अच्छा खासा जमींदार बन गया। कई साल बाद पंडितजी पुनः धन्ना के गांव भागवत कथा करने आए। धन्ना भी उनके दर्शन को गया। प्रणाम कर बोला- “पंडितजी ! आप जो ठाकुरजी देकर गए थे वे छह दिन तो भूखे प्यासे रहे एवं मुझे भी भूखा प्यासा रखा। सातवें दिन उन्होंने भूख के मारे परेशान होकर मुझ गरीब की रोटी खा ही ली। उनकी इतनी कृपा है कि खेत में मेरे साथ कंधे से कंधा मिलाकर हर काम में मदद करते है। अब तो घर में गाय भी है। सात दिन का घी-दूध का ‘सीधा’ यानी बंदी का घी- दूध मैं ही भेजूंगा।” पंडितजी ने सोचा मूर्ख आदमी है। मैं तो भांग घोटने का सिलबट्टा देकर गया था। गांव में पूछने पर लोगों ने बताया कि चमत्कार तो हुआ है। धन्ना अब वह गरीब नहीं रहा। जमींदार बन गया है। दूसरे दिन पंडितजी ने धन्ना से कहा- कल कथा सुनने आओ तो अपने साथ अपने उस साथी को ले कर आना जो तुम्हारे साथ खेत में काम करता है। घर आकर धन्ना ने प्रभु से निवेदन किया कि कथा में चलो तो प्रभु ने कहा – “मैं नहीं चलता तुम जाओ।” धन्ना बोला – “तब क्या उन पंडितजी को आपसे मिलाने घर ले आऊँ। प्रभु ने कहा – “बिल्कुल नहीं। मैं झूठी कथा कहने वालों से नहीं मिलता। जो मुझसे सच्चा प्रेम करता है और जो अपना काम मेरी पूजा समझ करता है मैं उसी के साथ रहता हूं।” सत्य ही कहा गया है:- “भक्त के वश में हैं भगवान्” 🌺 जय श्री राधेगोविंद जी 🌷🙏

Posted in jambuda | Leave a comment

કેવી રીતે હનુમાનના પુત્ર મકરધ્વજનો જન્મ થયો તેની વાર્તા


કેવી રીતે હનુમાનના પુત્ર મકરધ્વજનો જન્મ થયો તેની વાર્તા

રામાયણ કથામાં હનુમાન સૌથી મહત્વપૂર્ણ પાત્ર હોવાનું કહેવાય છે. હનુમાન, જેને પવનપુત્ર કહેવામાં આવે છે, તે શ્રી રામના સેવક હતા જેણે તેમના ભગવાન શ્રી રામની સાથે જીવનભર જીવ્યો હતો. અને તેમણે તેમના સેવક ધર્મનો દાખલો બેસાડ્યો.હનુમાન જીને ખુદ શ્રી રામની મુશ્કેલીઓ ને દૂર કરી હતી, તેથી તેઓ સંકટ મોચન મહાબાલી હનુમાન કહે છે.

આપણે બધા જાણીએ છીએ કે હનુમાન બ્રહ્મચારી હતા પરંતુ કથાઓમાં ઘણા તથ્યો મળી આવ્યા છે કે હનુમાન જીનો એક પુત્ર મકરધ્વાજ હતો જેની માતા માછલી હતી. અને મકરધ્વજ પણ વાનર સ્વરૂપ અને હનુમાન જેવા ખૂબ શક્તિશાળી હતા. હનુમાન કેવી રીતે મકરધ્વજના પિતા બન્યા ? હનુમાન પોતાના પુત્ર સાથે કેમ લડ્યો? શક્તિમાં બરાબર હોવા છતાં બંનેમાંથી કોણ યુદ્ધ જીત્યા હતા? કથા વિસ્તારથી

હનુમાન કા પુત્ર મકરધ્વજ


હનુમાનનો પુત્ર મકરધ્વજ કેવી રીતે થયો ?

Hanuman Ka Putra Makardhwaj


વનવાસ દરમિયાન, જ્યારે રાવણ સીતાનું અપહરણ કરે છે, ત્યારે શ્રી રામ સીતાની શોધમાં હનુમાનને મળે છે. અને તેઓ સીતાહરણ ની કથા હનુમાનને સંભળાવે છે. ત્યારબાદ હનુમાન અને તેના સખા સુગ્રીવ અને તેની વાનર સેના સીતાની શોધમાં શ્રી રામ અને લક્ષ્મણને મદદ કરે છે. ઘણા પ્રયત્નો પછી, જ્યારે શ્રી રામ અને તેના સાથીઓને ખબર પડી કે સીતાનું લંકા પતિ રાવણે અપહરણ કર્યું છે. ત્યારબાદ તેઓ સીતાની શોધમાં હનુમાનને સમુદ્ર પાર મોકલે છે. હનુમાન માયાવી શક્તિ ધરાવતા હતા, તે પોતાની શક્તિની મદદથી આકાશમાં લંકા પહોંચે છે અને લંકાના અશોક વાટિકામાં બેઠેલા સીતાને મળે છે, જેના માટે તે સીતાને શ્રી રામે આપેલી વીંટીને શ્રી રામના સંદેશવાહક હોવાના પુરાવા તરીકે બતાવે છે. આ જોઈને, સીતા સમજે છે અને તેણીને ખાતરી છે કે તેનો પતિ શ્રી રામ તેને લેવા માટે આવ્યો છે. હનુમાન સીતાનો સમાચાર મળ્યા પછી, અશોક બગીચામાં ઝાડનાં ફળ ખાઈને પેટ ભરી દે છે. અને આખો અશોક બગીચાને નષ્ટ કરે છે. ત્યારે રાવણના સૈન્યના રાક્ષસો હનુમાન સાથે લડ્યા, પરંતુ કોઈ તેને પકડી શકશે નહીં. પછી તેને રાવણના પુત્ર મેઘનાદને પકડવા જાય છે અને તેને રાવણની સામે દરબારમાં પકડે છે. ત્યારે હનુમાનને વિધાનસભામાં બેસવાની જગ્યા આપવામાં આવતી નથી, તેથી તે તેની પૂંછડી સાથે સિંહાસનની જેમ બેઠા. આવી ઉપદ્રવને લીધે રાવણે તેને તેની પૂંછડી ને તમામ સૈન્યને સાથે રાખીને હનુમાનની પૂંછડીમાં આગ લગાડવાનો આદેશ આપ્યો, ત્યારબાદ હનુમાન કોઈનો નિયંત્રણ રહેતા નથી અને આઆખી લંકાને અગ્નિ થી સળગાવી દે છે. અંત માં તેઓ પોતાની પૂછની આગને કાબૂમાં લેવા સમુદ્રમાં જાય છે અને સમયની ગરમીને લીધે, તેમના શરીરમાંથી વહેતો પરસેવો દરિયામાં જાય છે જે માછલીના પેટમાં જાય છે અને તેમાંથી તે માછલી ગર્ભ ધારણ કરે છે.

થોડા સમય પછી માછલીને પાતાળના રાજા અહિરાવનના સૈનિકોએ પકડે છે , અને તેને કાપવાથી, તેઓતેના ગર્ભ માં એક વાંદરાના રૂપમાં શિશુ મળે છે , જેનું નામ મકરધ્વજ રાખેછે. તેને પાતાળ ના રાજા અહિરવાન દ્વારા પાતાળ ના દ્વારપાળ બનાવવામાં આવ્યા.

થોડા સમય પછી, રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ત્યારબાદ રાવણ તેના દૂરના ભાઈ આહિરાવનની મદદ માંગે છે અને એક યોજના બનાવે છે, જેના પરિણામે આહિરાવન રામ અને લક્ષ્મણને બંદી બનાવી પાતાળ માં લઈ જાય છે અને તેમને કેદ કરે છે. જ્યારે હનુમાનજી પાતાળ પહોંચે ત્યારે પછી તે તેના પુત્ર મકરધ્વજને મળે છે. હનુમાનને પણ આ વિશે કશું ખબર નથી, જ્યારે તે દદરવાન ને વાંદરાના રૂપમાં જુએ છે અને તેનો પરિચય આપવા કહે છે, ત્યારે મકરધ્વજ કહે છે, હું હનુમાનનો પુત્ર મકરધ્વજ છું. ત્યારે હનુમાન કહે છે કે હું હનુમાન છું અને હું બ્રહ્મચારી છું, તો પછી તમે મારા પુત્ર કેવી રીતે બની શકો? પછી મકરધ્વજ હનુમાનને સંપૂર્ણ વાર્તા વિગતવાર જણાવે છે અને હનુમાનને ખાતરી થઈ છે. આ પછી, હનુમાન મકરધ્વાજને દરવાજાની બહાર મહેલમાં આવવા કહે છે, તો મકરધ્વજે તેને ના પાડી દીધી કે તે પણ તેના સ્વામી ભક્ત છે, તેમના ધર્મમાંથી ભ્રષ્ટતા કરશે નહિ . પછી તે બંને પિતા અને પુત્ર ની લડાઈ થાય છે જેમાં હનુમાન જીતે છે અને પાતાળમાં પ્રવેશ કરે છે. તે પછી, તેઓ આહિરવના અને મહિરાવન બંને સામે લડ્યા અને તેમને પરાજિત કર્યા. અને શ્રી રામ અને લક્ષ્મણને મુક્ત કરે છે. હનુમાન તેમના પુત્રનો પરિચય શ્રી રામ સાથે આપે છે. શ્રી રામ મકરધ્વાજને આશીર્વાદ આપે છે અને તેઓ મકરધ્વાજાને પાતાળના રાજા તરીકે નિયુક્ત કરે છે. આ રીતે, હનુમાનનો પુત્ર મકરધ્વજ પાતાળનો રાજા બને છે.

આપણા ગુજરાત રાજ્યમાં હનુમાનના પુત્ર મકરધ્વજની પૂજા કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે મકરધ્વજને જેઠીધ્વજ નામનો એક પુત્ર પણ હતો. મકરધ્વજ હનુમાન જેટલા શક્તિશાળી હતા, તેથી હરાવવ નું હનુમાનજી માટે સરળ નહોતું અને તેઓ તેમના પિતા જેવા મહાન સેવક હતા, તેથી પિતાના આદેશથી પણ તે દરવાજાની બહાર નીકળ્યયા નહીં અને મહાબાલી હનુમાન સાથે ઉગ્ર લડાઇ લડ્યા. .

રામાયણની કથામાં મહર્ષિ વાલ્મીકિ દ્વારા આ વાર્તાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. દરેકને આ વિશે શંકા લાગે છે, તેથી આ વાર્તા તમારી સામે મૂકવામાં આવી છે. આ એક કથા છે. અને એવું પણ સાંભળવા માં આવ્યું છે કે ભારતના એક શહેરમાં ભગવાન હનુમાનની પત્નીનું મંદિર છે, .

ભારત દેશમાં ઘણી પૌરાણિક કથાઓ છે, જેમાં રામાયણનું સ્થાન ખૂબ ઉચ્ચ માનવામાં આવે છે, આમાં ફરજની ભાવના ખૂબ સુંદર રીતે કહેવામાં આવે છે જેમ કે પુત્રની ફરજ, પત્નીની ફરજ, ભાઈની ફરજ, નોકરની ફરજ અને મિત્ર ની ફરજ. બધી બાજુઓ સારી રીતે બતાવવામાં આવી છે

Posted in jambuda | Tagged , | Leave a comment